SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) સંમતિ આપી નથી, પણ પ્રતિમાધારી મુનિને તે જ્યાં સૂર્ય આથમે ત્યાં જ રહેવાનું છે, તેવાને આશ્રયી અથવા જિનકધી મુનિને અશ્રિયી મસાણનું સ્થાન સૂત્ર પ્રમાણે સમજવું, એ પ્રમાણે જ્યાં જેને સંભવ થાય. ત્યાં તે જવું. શૂન્યાગાર (ઉજજડ ઘરમાં રહે અથવા, પર્વતની ગુફામાં અથવા ઝાડ નીચે અથવા, કુંભારનાં સ્થાનમાં અથવા, ગામની બહાર કેઈ પણ જગ્યાએ તે સાધુ કઈ વખત વિહાર કરે; તેને ઘરને માલિક આવીને સાધુની જગ્યામાં જઈને બેલે. જે બેલે તે બતાવે છે. મસાણ વિગેરે સ્થાનમાં પરિક્રમણ વિગેરે કિયાને કરતા સાધુ પાસે કઈ ત્યાં પહેલાં ઉભે રહેલ કે માણસ સ્વભાવથી ભદ્રક જીવ અથવા સમકત ધારી શ્રાવક ગૃહસ્થ હેય; તે સાધુના આચારમાં અંજાણ હોય તે સાધુને ઉદ્દે શીને કહે. આ આપેલ આહાર ખાનારા છે. આરંભ છેડેલા છે. અનુકંપા લાવવા ગ્ય છે અને એટલું છતાં, તેઓ સત્ય શુચિવાળા (સ્નાન રહિત) છે. માટે, એમને આપેલું અક્ષય ફળ આપનાર છે માટે, હું તેમને દાન આપીશ. એમ વિચારીને સાધુ પાસે આવે અને બેલે. હે આયુષ્યન! હે સાધુ ! હું સંસાસમુદ્ર તરવાની ઈચ્છાવાળે તમારે માટે ભેજન, પાણી ખાદિમ, તથા સ્વાદિમ વસ્તુ લાવું; અથવા વસ્ત્ર, પાત્રા, કાંબળ, રજોહરણ, વિગેરે બનાવીને
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy