SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૩૧૯ સંક્રમાવે છે. તે અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તીકરણના અંતે બાકીના કર્મોનો સ્થિતિઘાત રસઘાત અને ગુણશ્રેણી હોતી નથી આ અનંતાનુબંધીની ક્ષપણા અથવા વિસંયોજના કહેવાય છે. દર્શનત્રીકની ઉપશમનાનું વર્ણન મિથ્યાત્વમોહનીયની ઉપશમના પહેલા ગુણસ્થાનકે તથા ચોથા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતી જીવો કરે છે તથા મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોશમ સમકિતીજીવો જ કરે છે. મિથ્યાદ્રષ્ટિજીવો મિથ્યાત્વની ઉપશમના ઉપશમસમક્તિ પામતા કરે છે તે સંજ્ઞીપંચેન્દ્રિય સર્વ પર્યાપ્તીએ પર્યાપ્તો અનંતગુણવિશુધ્ધીએ વધતો અભવ્ય જીવોની અપેક્ષાએ અનંતગુણ વિશુધ્ધી યુક્ત મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન-વિર્ભાગજ્ઞાન ત્રણે અજ્ઞાનમાંથી કોઈપણ ૧ સાકાર ઉપયોગે વર્તતો જઘન્ય પરિણામે, તેજોલેશ્યાવંત મધ્યમપરિણામે, પઘલેશ્યાવંત ઉત્કૃષ્ટ પરિણામે, શુકુલલેશ્યાવંતઅંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતીવાળો ઉપશમસમક્તિ પામવા માટે યથાપ્રવૃત્તકરણ કરે છે. એ યથાપ્રવૃત્તકરણ અનંતાનુબંધીની ઉપશમનાની જેમ જાણવું, ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. આ અપૂર્વકરણને વિષે સ્થિતિઘાતરસઘાત-ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ એ ૪ પદાર્થો હોય છે. પણ ગુણસંક્રમ હોતો નથી આ અપૂર્વકરણના કાળમાં ગાઢ રાગાદિ પરિણામની જે પરિણતી રહેલી છે. તેનો ભેદ થાય છે. એટલે કે ગ્રન્થભેદ થાય છે. રાગાદિ પરિણામ જે ૪ ઠાણીયા રસવાળા હતા તેથી ગ્રન્થભેદ થતા બે ઠાણીયા રસવાળા બને છે. આ રીતે અપૂર્વકરણનો કાળ પૂર્ણ થાય છે. ત્યાર બાદ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. એ અનિવૃત્તીકરણ કાળમાં ઘણા સંખ્યાતા ભાગ ગયે છતે ૧ સંખ્યાતમોભાગ બાકી રહે છતે સત્તામાં રહેલા મિથ્યાત્વના દલિકનું અંતઃકરણ કરે છે. આ અંતઃકરણ એટલે સત્તામાં રહેલી મિથ્યાત્વની જે સ્થિતી છે તેના ત્રણ વિભાગ કરે છે. પહેલો વિભાગ ૧ અંતર્મુહૂર્તની સ્થિતિનો જે અનિવૃત્તીકરણ કહેવાય છે. બીજો ૧ અંતર્મુહૂર્તની સ્થિતિનો જે વચલી બીજી સ્થિતી કહેવાય છે. અને ત્રીજી સ્થિતી અંતઃ કોટાકોટી સાગરોપમની સત્તાવાળી હોય છે. આ અનિવૃત્તીકરણના સંખ્યાતાભાગ ગયે છતે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલાકની સ્થિતિ ઘટાડી ઘટાડી પહેલી સ્થિતિમાં લાવીને ભોગવે છે. જે દલિકની સ્થિતિ ઘટે તેવી નથી તે દલિકોને ઉધવર્તનાકરણ દ્વારા સ્થિતિ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy