SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ (૨) પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન :- જ્યારે જીવોને પાંચનિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાનો ઉદય થાય ત્યારે ચાર દર્શનાવરણીય, એક નિદ્રા એમ પાંચનો ઉદય ગણાય છે. ૮ દર્શનાવરણીયની ચાર પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી એક સાથે ઉદયમાં રહે છે. પાંચ નિદ્રા અધુવોદયી હોવાથી એકસાથે કોઈપણ એક નિદ્રા જ ઉદયમાં હોય છે. સામાન્ય રીતે નિદ્રાનો ઉદય ઉપશમ શ્રેણીવાળા જીવોને આશ્રયીને અગ્યારમા ગુણસ્થાનક સુધી હોઈ શકે. જયારે અત્રે નિદ્રાનો ઉદય ક્ષપકશ્રેણીમાં બારમા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી કહેલો છે. તે મતાંતર જાણાવો બીઆવરણ નવ બંધએસ. ચ ઉદય નવસતા પંચ છચ્ચઉબંધ ચેવ ચઉં બંધુદએ છäસાય ।।૯।। બંધ ચહ પણ નવસ ચઉરુદય છચચઉસંતા વેઅણિ આઉપ ગોએ, વિભજ્જ મોહ પર તુચ્છ ।।૧૦। દર્શનાવરણીય કર્મના સત્તાસ્થાન ત્રણ છે. (૧) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન ઉપશમશ્રેણી વાળા જીવને આશ્રયીને ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે ક્ષપકશ્રેણી વાળા જીવને આશ્રયીને ૯મા ગુણસ્થાકના પહેલા ભાગ સુધી હોય છે. (૨) છ પ્રકૃતિનું સત્તાસ્થાન :-નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે થીણધિત્રીકનો અંત થતા નવમાગુણ સ્થાનકના બીજા ભાગથી બારમા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય છે. (૩) ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન :- બારમા ગુણસ્થાનકના અંત સમયે હોય છે. ભાવાર્થ :- બીજા દર્શનાવરણીય કર્મને વિષે નવના બંધે ચારનો તથા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. ઉવરય છ અને ચાર પ્રકૃતિના બંધે ચાર તથા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. ચારના બંધે અને ચારના ઉદયે છની સત્તા હોય છે. બંધનો વિચ્છેદ થયે
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy