SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ વિવેચન ૧. સંશીઅપર્યાપ્તા ૨. સંજ્ઞીપર્યાપ્તા અથવા ૩. અસંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા અને ૪. અસંક્ષીપંચેન્દ્રિય પર્યાપ્તા સાથે ચાર. ૧. આ માર્ગણાને વિષે અસંક્ષી જીવો જે કહ્યા છે. તે લિંગાકારની અપેક્ષાએ જાણવા. કારણ કે આ જીવોને એક નપુંસકવેદનો જ ઉદય હોય છે. છતાં પણ પોતાના શરીરને વિષે લિંગની અપેક્ષાએ ત્રણે લિંગ હોઈ શકે છે. યોગ - ૧૩. ૪ મનના, ૪ વચનના, કાર્મણકાયયોગ, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિકાયયોગ. ૧. દેવ, તિર્યંચ અને મનુષ્ય જીવોને વિગ્રહ ગતિમાં સ્ત્રીવેદનો ઉદય હોય છે. ત્યાં કામણકાયયોગ શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી અથવા સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ અને દેવતાને વૈક્રિયમિશકાયયોગ હોય છે. ૨. પર્યાપ્ત જીવોને બાકીના યોગ હોઈ શકે છે. ૩. આ વેદના ઉદયવાળા જીવોને દ્રષ્ટિવાદ ભણવાનો નિષેધ હોવાથી ચૌદ પૂર્વનો અભ્યાસ હોતો નથી તેના કારણે આહારકટિક યોગ હોતો નથી. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. આ માર્ગણાને વિષે સાતમા ગુણસ્થાનકે વિશિષ્ટ લબ્ધિઓને પ્રાપ્ત કરીને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. દા.ત. સ્ત્રી તીર્થકર મલ્લિનાથ ભગવાને સંયમને સ્વીકાર કર્યો ત્યારે સાતમા ગુણસ્થાનકે મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. ત્યારથી ચાર જ્ઞાનવાળા મલ્લિનાથ ભગવાન ગણાય છે. આવી રીતે તીર્થકર સિવાય સ્ત્રીવેદી જીવોને સાતમા ગુણસ્થાનકે મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. લેશ્યા - ૬. ૩. નપુંસકવેદ માર્ગણા - જીવભેદ – ૧૪. ૧. સંજીવોમાં નારકીને એક નપુંસકવેદ હોય છે. તિર્યંચ અને મનુષ્યને ત્રણે વેદ હોય છે. દેવોને પુરુષ અને સ્ત્રી બે વેદ હોય છે. ૨. અસંજીપંચેન્દ્રિય પર્યાપ્તા સુધીના અસંશી જીવોને નિયમા એક
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy