SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ર્મગ્રંથ-૪ 36 અવિરતિ, સભ્યષ્ટિ. ૩. યોગ - ૧૧. ૪ મનના ૪ વચનના, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્ર કાયયોગ અને કાર્મણકાયયોગ. કાર્મણકાયયોગ અપર્યાપ્તા અવસ્થામાં હોય છે. વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્તા અવસ્થામાં તથા ઉત્તરવૈક્રિયશરીર કરતાં હોય છે ત્યારે હોય છે. ૪. ઉપયોગ - ૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. અપર્યાપ્ત અવસ્થામાં મિથ્યાદ્રષ્ટિ દેવોને ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે. સમ્યષ્ટિ દેવોને ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન હોય છે. ત્રીજા ગુણસ્થાનકે મિથ્યાત્વની સન્મુખ રહેલા જીવોને ત્રણ અજ્ઞાન, બે દર્શન અથવા સિદ્ધાંતના મતે અવધિદર્શન માનેલું હોવાથી ત્રણ દર્શન ગણાય છે. અને સમ્યક્ત્વની અભિમુખ રહેલો જીવ હોય તો ત્રણ જ્ઞાન, બે દર્શન, અથવા ત્રણ દર્શન હોય છે. ૫. લેશ્યા દ્વાર ૬. ભવનપતિ, વ્યંતર દેવોને એક થી ચાર લેશ્યા હોય છે. જ્યોતિષી, વૈમાનિકનો પહેલો, બીજો દેવલોક અને પહેલા કિલ્બીષિયાને એક તેોલેશ્યા હોય છે. ત્રીજા દેવલોકથી છઠ્ઠા દેવલોક સુધી પદ્મલેશ્યા હોય છે. સાતમા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને એક લલેશ્યા હોય છે. કેટલાક આચાર્યોના મતે સાતમા અને આઠમા દેવલોકે જે શુલલેશ્યા કહેલી છે તે પદ્મલેશ્યા જેવી જાણવી. કારણ કે શુકુલલેશ્યામાં આ આચાર્ય ભગવંતો તિર્યંચગતિનો બંધ માનતા નથી. આથી દ્રવ્યથી શુલલેશ્યા હોવા છતાં પદ્મલેશ્યા જેવી ગણે છે. આઠમા દેવલોક સુધી તિર્યંચગતિને તિર્યંચ આયુષ્ય બંધમાં કહેલું છે તેથી આ પ્રમાણે કહ્યું છે. કેટલાક આચાર્યો શુલલેશ્યામાં તિર્યંચગતિને તિર્યંચ આયુષ્યનો બંધ માને છે તેથી દેવલોકનાં દેવતાઓ આઠમા દેવલોક સુધી તિર્યંચગતિને તિર્યંચ આયુષ્ય બાંધતા હોવાથી તેમના મતે શુલલેશ્યા ઘટી શકે છે. આ દરેક દેવોને જે લેશ્યાઓ જણાવી તે દ્રવ્યથી જાણવી. ભાવથી દરેક
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy