SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. ઉ. ૮૧. ઉ ૮૨. ઉ ૮૩. ઉ ૮૪. ઉ. ૮૫. ઉ ૮૬. ઉ ૨. છ પ્રકૃતિ-ચાર દર્શનાવરણીય, નિદ્રા-પ્રચલા ૩. ચાર પ્રકૃતિ ચાર દર્શનાવરણીયનું હોય છે. દર્શનાવરણીય કર્મનું પહેલું બંધ સ્થાન કેટલા જીવ ભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય ? કયા ? નવ પ્રકૃતિનું બંધસ્થાન ચૌદ જીવ ભેદમા હોય તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે. દર્શનાવરણીય કર્મનું બીજું બંધસથાન કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય ? કયા ? છ પ્રકૃતિનું બીજું બંધસ્થાન બે જીવભેદમાં હોય છે. ૧. સન્ની અપર્યાપ્તા, ૨. સન્ની પર્યાપ્તાતથા છ ગુણસ્થાનકમાં હોય છે ૩,૪,૫,૬,૭ તથા આઠમા ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે. દર્શનાવરણીય કર્મનું ત્રીજું બંધસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? કયા કયા? ચાર પ્રકૃતિનું ત્રીજું બંધસ્થાન એક સન્ની પર્યાપ્તાજીવ ભેદમાં હોય તથા ત્રણ ગુણસ્થાનકમાં હોય છે. આઠમા ગુણ સ્થાનકના બીજા ભાગથી આઠમુ ગુણસ્થાનક સંપૂર્ણ તથા ૯ તથા ૧૦મા ગુણસ્થાનકે હોય છે. દર્શનાવરણીયના ત્રણ બંધ સ્થાનમાંથી એક થી ૧૨ જીવ ભેદમાં કેટલા બંધ સ્થાનો હોય ? કયા ? સૂક્ષમ અપર્યાપ્તા થી શરૂ કરી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં બાર જીવભેદમાં એક બંધસ્થાન હોય. ૧ નવ પ્રકૃતિનું દર્શનાવરણીયનાં ત્રણ બંધ સ્થાનમાંથી સન્ની અપર્યાપ્તા જીવ ભેદમાં કેટલા બંધસ્થાનો હોય ? કયા ? બે બંધસ્થાન ૧, નવપ્રકૃતિનું, ૨.૭ પ્રકૃતિનું. સમકિતી જીવોને અપર્યાપ્તા વસ્થામાં હોય છે. દર્શનાવરણીયનાં બંધસ્થાનો સન્ની પર્યાપ્તામાં કેટલા હોય? કયા ? ત્રણેય હોય ૧. નવનું, ૨. છનું, ૩. ચારનું. દર્શનાવરણીય કર્મનાં ઉદય સ્થાનો કેટલા હોય ? કયા ? બે ઉદય સ્થાન હોય. ૧.ચાર પ્રકૃતિનું ૨ પાંચ પ્રકૃતિનું ૨૦ :
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy