SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણીયકર્મ (૨) અચક્ષુદર્શનાવરણીય કર્મ : ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિય અને મન વડે પદાર્થોને સામાન્ય રીતે જાણવું તે અચક્ષુદર્શન. તેને આવરણ કરનારું જે કર્મ તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મના ઉદયથી જીવને બહેરાપણું, બોબડાપણું, ખોડખાંપણ, લકવો વગેરે થાય છે. અચક્ષુદર્શનાવરણીય કર્મના જુદી જુદી ઈન્દ્રિયોની શક્તિના ફળની અપેક્ષાએ કુલ પાંચ ભેદ છે. પરંતુ તે સર્વ ભેદો અચક્ષુદર્શનાવરણીયમાં જ ગણ્યા છે. (૧) સ્પર્શ અચક્ષુદર્શનાવરણીય કર્મ ઃ જીવને લકવો વિગેરે ચામડીના દર્દો થવાથી સ્પર્શેન્દ્રિય દ્વારા પદાર્થના ગુણો-શીત-ઉષ્ણ-ચીકણુંલુખ્ખ-હળવું-ભારે આદિનું જ્ઞાન સામાન્ય બોધ પણ મંદપણાને પામે તે સ્પર્શ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. . (૨) રસન અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મના ઉદયથી જીવને રસના (જીભ) મળે નહિ અને મળે તો મંદ ક્ષયોપશમને કારણે મીઠું, ખાટું, તીખું આદિ સ્વાદ કરાવનારી રસશક્તિ અલ્પ પામે તેમજ સ્પષ્ટ ઉચ્ચાર ન કરી શકે વળી બોબડાપણું મળે તેને રસનઅચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય. એકેન્દ્રિય જીવોને જીભ મળતી નથી. બેઈન્દ્રિયાદિ જીવોને જીભ મળે તો પણ ક્ષયોપશમાનુસાર રસનશક્તિ મળે છે. (૩) ઘાણ અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મના વિપાકથી જીવને નાક મળે નહિ અને ધ્રાણેન્દ્રિય (નાક) મળે તો સામાન્ય બોધરૂપ ગંધશક્તિ મંદ મળે. તેને ઘાણ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય જીવને ધ્રાણેન્દ્રિય હોય નહિ. તેઈન્દ્રિય જીવને
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy