SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણીયકર્મ પ૭ જ્ઞાન શબ્દ જ્ઞા ધાતુ પરથી બનેલો છે. જ્ઞા = જાણવું. જ્ઞા + મન (ન) ભાવવાચક પ્રત્યય. જાણવું તે જ્ઞાન. सरउग्गयससिनिम्मलतरस्स जीवस्स छायणं जमिह નાણાવર નં પડવમં દોડું પર્વ તુ (બૃહત્કર્મવિપાક ગા. ૧૦) દર્શનાવરણીય કર્મ : દર્શન એટલે પદાર્થનો સામાન્ય બોધ.. દર્શન એટલે જોવું, જાણવું. પાંચ ઈન્દ્રિયો અને મનની સહાય દ્વારા થતો પદાર્થનો સામાન્ય બોધ તે દર્શન. એને આવરણ કરનારું જે કર્મ તેને દર્શનાવરણીયકર્મ કહેવાય છે. તે ચાર દર્શનાવરણીય અને પાંચ નિંદ્રા એમ કુલ ૯ પ્રકારે છે. દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે. જેમ બહારથી આવનારને રાજાના દર્શન કરવા છે પણ દ્વારપાળ જો અંદર ન જવા દે તો રાજાના દર્શન કરી શકતો નથી. તેમ આ કર્મ ઈન્દ્રિયોથી થતાં સામાન્ય બોધને આવરે, બોધ ન થવા દે. દર્શન શબ્દ દસ્ ધાતુ પરથી બનેલો છે. દસ્ એટલે જોવું-દેખવું. ટૂલ્સ + મન (મન) = હર્શન = જોવું તે - જાણવું તે. બૃહત્કર્મવિપાકમાં કહ્યું છે કે – दसणसीले जीवे दंसणघायं करेइ जं कम्म तं पडिहारसमाणं दंसणवरणं भवे कम्मं ।। १९ ।। બૃહ. દ્રવ્યસંગ્રહમાં પણ કહ્યું છે કે – जं सामन्नग्गहणं भावाणं, नेव कट्ट आगारं अविसेसिउण अत्थे, दंसणमिय वुच्चए समये ।। ४३ ।। દર્શનાવરણીયકર્મના ભેદ : चक्खु-दिट्ठि-अचक्खु-सेसिंदिय-ओहि-केवलेहिं य । दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ।। १० ।।
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy