SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ વિવેચન : હવે આઠમા અંતરાયકર્મના આશ્રવ આ ગાથામાં કહ્યા છે તે આ પ્રમાણે – ૧૮૨ અંતરાયકર્મના આશ્રવ : (૧) જિનેશ્વર પરમાત્માની પૂજામાં અંતરાય કરનાર-એટલે ગૃહસ્થો જિનેશ્વર પરમાત્માને સચિત પાણી વડે અભિષેક કરે, સચિત ફુલો ચૂંટી-હિંસા કરી લાવી ચડાવે તેમજ ફળાદિ સચિત ચડાવે તે પણ હિંસાનું કારણ બને. આ રીતે કહી જિનેશ્વર ભગવાનની પૂજાનો નિષેધ કરવાથી અંતરાય કર્મ બાંધે. પરંતુ ગૃહસ્થ તો ચોવીશ કલાક હિંસાની પ્રવૃત્તિ કરનાર હોઈ જેટલો સમય પરમાત્માની પૂજા, સાધર્મિક ભક્તિ આદિ ક૨શે તેટલો સમય આ પ્રવૃત્તિમાં શુભ અને શુદ્ધ પરિણામ પણ આવે તેથી શુભકર્મબંધનું અને કર્મ નિર્જરાનું કારણ બને. કારણ કે પૂજા આદિમાં પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થ એટલો સમય સાંસારિક પ્રવૃત્તિ નહીં કરે તેથી અશુભ કર્મબંધ ન થાય. જીવની દુર્ગતી ન થાય અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થાય. શાસ્ત્રોમાં દ્રૌપદી આદિએ જિનપૂજા કરી વિગેરે પૂજા કરવાના પાઠ પણ છે, તેથી જિનપૂજાનો નિષેધ કરવો તે અંતરાય કર્મનું કારણ બને. (૨) હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહાદિની પ્રવૃત્તિમાં તત્પર, પરાયણપણું પણ અંતરાય કર્મના બંધનું કારણ છે. આ બાહ્ય આશ્રવના હેતુઓ અત્યંતર આશ્રવનું કારણ બને એટલે અશુભ પરિણામનું કારણ બને તેથી આ બાહ્ય હેતુઓ પરંપરાએ કર્મબંધનું કારણ બને છે. માટે તે કર્મબંધનું કારણ કહેલ છે. કર્મવિપાક કર્મગ્રંથનું વર્ણન-વિવેચન લખવામાં મતિની દુર્બલતાના કારણે અથવા અજાણતાં કંઈ પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિથ્યાદુષ્કૃત સાથે વાચકવર્ગને અમારું ધ્યાન દોરવા વિનંતિ છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy