SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ કર્મબંધના બાહ્યાશ્રય તે પ્રમાણે લાભાન્તરાયાદિના ઉદયમાં જાણવું. મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે, ચોક્કસ લાભ થાય તેવો વ્યાપાર -પ્રયત્ન કરે છતાં બીજાને લાભ થાય પરંતુ પોતાને થાય નહીં, મેળવી ન શકે. જેમ ઋષભદેવ પરમાત્મા એક વર્ષ સુધી આહાર મેળવી શક્યા નહીં. અહીં યાચના કરવા છતાં બીજા યાચકોને મળે અને પોતાનો વારો આવે અને આપનાર કોઈ કારણથી આપવાનું બંધ કરે અથવા ધંધામાં-વ્યાપારમાં પ્રયત્ન કરવા છતાં બીજાને લાભ થાય, પોતાને ન થાય તે લાભાન્તરાય. આહાર કરવાની ઈચ્છા હોય, મીઠાઈ આદિ ખાવાનું મન થાય પરંતુ ડાયબીટીસાદિ રોગાદિથી વાપરી ન શકે. ખાઈ ન શકે તે ભોગાન્તરાય. વસ્ત્રાદિ ફાટી જશે, જુના થઈ જશે એમ માની પહેરી કે વાપરી ન શકે અને પછી સડી જવાથી નકામા થઈ જાય તે ઉપભોગાન્તરાય. સારા કાર્યમાં મન-વચન-કાયાની શક્તિ ન ફોરવી શકે, અને પરાધીનતા અથવા અન્યના આદેશ-હુકમથી કામ કરવું પડે તે વીર્યન્તરાય. કર્મબંધના હેતુઓ पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ॥ ५४ ॥ શબ્દાર્થ : હળીમળ = પ્રત્યનીકપણું, નિન્દવ = છુપાવવુંઓળવવું, પોતે = અત્યંત દ્વેષ, વવાય = ઘાત કરવો, વાલીયા = અત્યંત-ઘણી આશાતના કરવાથી, તુમ = બે પ્રકારના, નિમો = જીવો નય = બાંધે છે - ઉપાર્જે છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy