SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ અંતરાયકર્મનું વર્ણન येन कर्मणा न दीयते इति दानान्तरायम् । (૨) લાભાંતરાય કર્મ ઃ = મેળવવું દાતા વિદ્યમાન હોવા છતાં, લેનાર ગુણવાન હોય છતાં, યાચનામાં કુશળ હોવા છતાં મેળવી ન શકે તેને લાભાંતરાય કર્મ છે. न लभ्यते इति लाभान्तरायम् । (૩) ભોગાંતરાય કર્મ : = ભોગવવું. વિશિષ્ટ આહારાદિ પ્રાપ્ત હોવા છતાં, વ્રત પચ્ચકખાણાદિનો પરિણામ ન હોવા છતાં ભોગવટો ન કરી શકે-વાપરી ન શકે-ખાઈ ન શકે તેને ભોગાંતરાય કર્મ કહે છે. ખાવાની-વાપરવાની ઈચ્છા હોય છતાં પોતે વાપરતાં પૂર્વે કોઈ આવી જાય અને તે વાપરે, તેથી પોતે ન વાપરી શકે. જેમ પૂજામાં કહ્યું –જમી જમાઈ પાછો વળીયો જ્ઞાન દશા તપ જાગી-ભૂલ્યો બાજી (૪) ઉપભોગવંતરાય કર્મ : વારંવાર ભોગવટો કરવા યોગ્ય વસ્ત્ર-આભરણાદિ પદાર્થો મળવા છતાં પણ વ્રત-પચ્ચકખાણાદિ ન હોવા છતાં ભોગવી-વાપરી ન શકે તેને ઉપભોગાંતરાય કર્મ કહે છે. ભોગ-એકવાર ભોગવાય તે ભોગ કહેવાય. જેમ આહાર, પાણી આદિ. ઉપભોગ - વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. જેમ વસ્ત્ર, પાત્ર, સ્ત્રી આદિ. (૫) વીર્યાન્તરાય કર્મ : નિરોગી શરીર, યૌવનપણું હોવા છતાં અલ્પ સામર્થ્યવાળો, શક્તિવાળો થાય તે વીર્યાન્તરાય કર્મ છે. અર્થાત્ શક્તિ ફોરવી ન શકે, ૧૧
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy