SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણાદિનામકર્મ ૧૩૫ (૨) દુરભિગંધ નામકર્મ : જેના ઉદયથી શરીરમાં અથવા અવયવોમાં લસણ-ડુંગળી જેવી ખરાબ ગંધ થાય તે દુરભિગંધ નામકર્મ છે. રસનામકર્મ : (૧) આસ્વાદ્યતે રૂતિ રસ: (૨) જે આસ્વાદ કરાય તે રસ. જેના ઉદયથી શરીરમાં અને શરીરના અવયવોમાં તિક્ત (કડવો) વિગેરે રસ પ્રાપ્ત થાય તે રસ નામકર્મ તે પાંચ પ્રકારે છે. (૧) તિક્તરસ નામકર્મ : શરીરમાં અથવા લોહી આદિ ધાતુઓમાં લીમડા જેવો કડવો રસ થાય તે તિક્તરસ નામકર્મ છે. (૨) કટુરસ નામકર્મ : શરીરમાં અથવા સાત ધાતુઓમાં મરચાં જેવો તીખો રસ થાય તે કટુરસ નામકર્મ છે. (૩) કષાયરસ નામકર્મ : શરીરમાં અને સાત ધાતુઓમાં ત્રિફળા જેવો તૂરો રસ થાય તે કષાયરસ નામકર્મ છે. (૪) આમ્બરસ નામકર્મ : શરીરમાં અને સાત ધાતુઓમાં આમલી જેવો ખાટો રસ થાય તે આમ્લ૨સ નામકર્મ છે. (૫) મધુર૨સ નામકર્મ : શરીરમાં અને સાત ધાતુઓમાં સાકર જેવો મીઠો મધુર રસ થાય તે મધુર રસ નામકર્મ છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy