SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વન્યાલોક ઈચ્છાવાળા લોકનાથ વ્યાસ આ વાત વારંવાર કહે છે કે – યથા યથા વિપતિ તોત–માવત્ | तथा तथा विरागोऽत्र जायते नात्र संशयः ।। અન્ય રસને ગૌણ રાખીને પુષ્ટ કરેલો શાંતરસ અને બીજા પુરુષાર્થોને ગૌણ રાખીને પુષ્ટ કરેલો મોક્ષ પુરુષાર્થ જ પ્રધાન પણે વિવક્ષિત છે એવું મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. મહાભારતના અંતસ્તત્ત્વને ધ્યાનમાં ન લઈએ તો બીજા ગૌણસ્થાને રહેલા રસ અને પુરુષાર્થમાં ચારુત્વ છે એમ ગણવામાં વિરોધ નથી અહીં એવો પ્રશ્ન થાય છે કે મહાભારતમાં જે વિષય કહેલા છે તે બધા અનુક્રમણી'માં દર્શાવેલા છે. પણ ત્યાં આ શાંતરસ અને મોક્ષ પુરુષાર્થનું પ્રાધાન્ય દેખાતું નથી. એનાથી વિપરીત બધા પુરુષાર્થો અને બધા રસો, એ “અનુક્રમણી'માં શબ્દોથી પ્રતીત થાય છે. તેનો જવાબ એ છે મહાભારતમાં શાંત રસનું મુખ્યત્વ અને મોક્ષનું પ્રાધાન્ય, અનુકમણીમાં પોતાના વાચક શબ્દોથી દર્શાવેલ નથી પણ વ્યંગ્ય રૂપથી દર્શાવેલ છે, જે નીચેના વાક્યમાં છે - “ખાવાનું લાવણ્ય વીત્યંત = સનાતન? ” આ ઉપરથી વ્યંગ્યરૂપથી એ કહેવાનું અભિપ્રેત છે કે આ મહાભારતમાં પાંડવ વગેરેનું ચરિત્ર જે વર્ણવવામાં આવ્યું છે તે બધું અવિઘાના પ્રપંચરૂપ છે; અને પરમાર્થ સત્ય સ્વરૂપ ભગવાન વાસુદેવની જ કીર્તિ અહીં ગાવામાં આવેલી છે. એથી એ પરમ ઐશ્વર્યવાળા ભગવાનમાં જ પોતાનું મન લગાવવું. નિઃસાર વિભૂતિઓમાં દિલ ન લગાવવું. અથવા નીતિ, વિનય, પરાક્રમ વગેરે કેવળ આ કોઈ ગુણોમાં પૂર્ણ રૂપથી ચિત્ત ન પરોવવું. એથી આગળ “સંસારની નિઃસારતા જુઓ એવો અર્થ વ્યંજિત કરતો વ્યંજક શક્તિવાળો “ચ” શબ્દ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. એ પછી તરત જ આવતા “સત્યમ્ વ્રત વૈવ પવિત્ર પુખ્યમેવ રા'...ઈ. શ્લોકોમાં આ જ પ્રકારનો અર્થ ગર્ભિત રીતે જોઈ શકાય છે. આ નિગૂઢ અને રમણીય અર્થને “મહાભારતના અંતમાં હરિવંશના વર્ણનથી સમાપ્તિની રચના કરતા એ જ કવિ પ્રજાપતિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે બિલકુલ સ્પષ્ટ કર્યો છે. એ અર્થ દ્વારા સંસારથી પર રહેલા બીજા તત્ત્વ (ભગવદ્દ તત્ત્વ) પ્રત્યે અતિશય ભક્તિનો ઉપદેશ કરીને, સાંસારિક વ્યવહાર પૂર્વપક્ષરૂપ (બાધિત વિષય) હોઈ ઉપેક્ષા પાત્ર છે, એમ બતાવેલું છે. દેવતા, તીર્થ અને તપ વગેરેના અતિશય પ્રભાવનું વર્ણન એ પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયરૂપ હોવાથી અને તેની વિભૂતિરૂપ હોવાથી મહાભારતમાં બીજા દેવતાઓનાં વર્ણન કરવામાં આવેલ છે. પાંડવો વગેરેના ચરિત્રનું વર્ણન પણ વૈરાગ્ય જગાવવાના
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy