SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ -કવન્યાલોક મુક્તકમાં પણ “અમરુક જેવા રસ, -ભાવ નિબંધક કવિઓ જોવા મળે છે. સંદાનિતક વગેરેમાં તો વિકટ નિબંધનને કારણે મધ્યમ સમાસ અને દીર્ઘ સમાસવાળી સંઘના યોગ્ય છે. પર્યાય બંધ પ્રકારના સાહિત્યમાં (વસંત વગેરે એક વિષયનું વર્ણન કરનાર પ્રકરણ પર્યાયબંધ કહેવાય છે.) સમાસ વગરની અને મધ્યમ સમાસવાળી સંઘના યોગ્ય છે. જે કદાચ અર્થના ઔચિત્યને કારણે દીર્ધ સમાસવાળી સંઘટનાનો ઉપયોગ કરવો પડે પરુષા અને ગ્રામ્ય વૃત્તિઓનો તો ત્યાગ કરી દેવો જ જોઈએ પ્રાતમાં પ્રચલિત ખંડકથા અને સક્લાઓમાં કુલક વગેરે ઘણાં હોય છે. તેથી તેમાં દીર્ધ સમાસા સંઘટના જોવા મળે છે. મહાકાવ્યમાં કવિની ઈચ્છા પ્રમાણે, ક્યારેક સમાસારહિત, ક્યારેક મધ્યમ સમાસવાળી તો ક્યારેક દીર્ધ સમાસવાળી, સંઘટના જોવા મળે છે. ગદ્યમાં મધ્યમ કે દીર્ધ સમાસવાળી અને નાટક વગેરે અભિનેયાર્થ કાવ્યમાં અસમાસા સંઘ ના હોવી જોઈએ. એકંદરે જોતાં એમ લાગે છે કે ઔચિત્ય, સંધટનાનું નિયામક છે. સંઘટનાને ગુણથી અભિન્ન માનો કે જુદી માનો ઔચિત્યને કારણે વિષયનિયમ છે. એથી સંઘટનામાં રસની વ્યંજક્તા છે. રસની અભિવ્યક્તિમાં નિમિત્તભૂત સંઘટનાનો નિયમ હેતુ જે હમણાં કહો તે ગુણોનો પણ નિયત વિષય છે. એથી એ રીતે ગુણોના આશ્રયથી સંધટનાની વ્યવસ્થા કરવામાં કોઈ વાંધો નથી 'ગ્રંથકારે સંઘટનાના પ્રકારે સમાસને આધારે પાડ્યા છે. છંદના નિયમ વગરના ગધબંધમાં પણ સર્વત્ર ઉપર કહેલું ઔચિત્ય જ સંઘટનાનું નિયામક તત્ત્વ છે. ટૂંકમાં, “સંઘટનાનું મુખ્ય નિયામક તત્વ વક્તા અને વચ્ચેનું ઔચિત્ય જ છે. તેમાં રસાદિનો વિચાર રહેલો છે. પદ્યની પેઠે ગદ્યમાં પણ સંઘટનાનું નિયામક તત્ત્વ એ જ રહે છે, પણ કાવ્યના પ્રકારને કારણે તેમાં થોડો ઘણો ફેરફાર થાય છે. ..સંઘટનાનાં નિયામક તત્ત્વો બે છેઃ રસાદિગત ઔચિત્ય અને સાહિત્ય પ્રકારગત ઔચિત્ય પણ એ બે માં પહેલું જ પ્રધાન છે અને બીજું ગૌણ છે.” ૧૪ અમરાભાંજકતા વર્ણ, પદાદિ, વાક્ય અને સંઘટનાના વિવેચન પછી, તૃતીય ઉદ્યોતની કા-૧૦ થી ૧૫ અને તેના વૃત્તિભાગમાં આનંદવર્ધને પ્રબંધની વ્યંજક્તાનું નિરૂપણ કર્યું છે. આનંદવર્ધન મુજબ પ્રબંધની વ્યંજક્તા રહે તે માટે, પ્રબંધમાં રહેલ રસની અભિવ્યક્તિને માટે નીચેની પાંચ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. (૧) વિભાવ, અનુભાવ, સંચારિભાવ અને સ્થાયિભાવના ઔચિત્યથી સુંદર એતિહાસિક કે કલ્પિત કથા શરીરનું નિર્માણ ૧. નગીનદાસ પારેખ - ‘બચાલો આનંદવર્ધનનો ધ્વનિ વિચાર. પૃ. ૧૮૧
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy