SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ . દવન્યાલોક કારિકા-૪૦ અને વૃત્તિઃ ‘અહીં ચેતવણી આપતાં લેખક કહે છે કે કેટલીક જગ્યાએ ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય’ બન્ને જાતના અર્યો કરવા શક્ય હોય, તેમાં જો “ગુણીભૂતવ્યંગ્ય’ અર્થ બધી દષ્ટિએ યોગ્ય લાગતો હોય તો પછી ધ્વનિના અનુરાગી ન થવું. વૃત્તિમાં આપેલ બન્ને ઉદા.માં બન્ને શક્ય છે છતાં ‘ગુણીભૂત વ્યંગ્ય’ વધુ યોગ્ય છે. આ શ્લોકોમાં લજ્જા વગેરે ભાવો, પ્રણયકોપ વગેરે વ્યંગ્ય થાય છે. પણ આ વ્યંગ્યાર્થ લગભગ વાચ્યાર્થ જેવો થઈ જાય છે. તેથી અહીં ‘ગુણીભૂતવ્યંગ્ય માનવું વધુ યોગ્ય છે. કારિકા-૪૧ અને વૃત્તિ: (i) સુરથ ધા... ઈ. સંદર્ભ એવો છે કે કૃષ્ણ કોઈની સાથે રમણ કરી બેધ્યાનમાં તેનું જ વસ્ત્ર પહેરી લઈને પાછા આવ્યા, એ જોઈને રિસાયેલી રાધાને મનાવવા કૃષ્ણ આ શ્લોકમાં પ્રયત્ન કરે છે. અમુક કાવ્યમાં ગુણીભૂત વ્યંગ્ય હોય છતાં સમગ્ર દષ્ટિએ રસનું પ્રાધાન્ય હોય તો એને ધ્વનિનું ઉદાહરણ ગણી શકાય. પ્રસ્તુત શ્લોકમાં કવિને વિવક્ષિત અર્થ આશીર્વાદનો છે. ઇર્ષ્યા-વિપ્રલંભ ગૌણ હોઈ “ગુણીભૂત વ્યંગ્ય’ છે. પણ એકંદરે પ્રબળ રસ ચમત્કાર હોઈ વક્તાની વિરક્ષાની દરકાર ર્યા વિના એને રસ-ધ્વનિનું દષ્ટાંત માનવું જોઈએ. ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પર્યવસાન થાય છે તેનું આ શ્લોક ઉદા છે. | (i) પાનાનમ લેવો. ઈ. અહીં રાજાની સેવા, વિષ ખાવું તે, સ્ત્રીઓ સાથે વિહાર અત્યંત કષ્ટસાધ્ય અને વિપરીત પરિણામજનક હોય છે વગેરે વ્યંગ્યથી વિશિષ્ટ વાચ્ય અર્થ ચમત્કારવાળો થઈ જાય છે, એથી અહીં “ગુણીભૂત વ્યંગ્યતા છે. ‘શાંતરસ'નાં અંગ ‘નિર્વેદ' સ્થાયિભાવની તેનાથી અભિવ્યક્તિ થાય છે. પણ તેનું પ્રાધાન્ય વિવક્ષિત નહીં હોવાથી પદ અને વાક્ય બંને ‘ગુણીભૂતવ્યંગ્ય છે. (i) ત્યત્ર ચાનતુતિ. તત્ર વતુર તાવળ્યળિો ... ઈ. શ્લોકમાં કોઈકે વ્યાજ સ્તુતિ’ અલંકાર છે એમ કહ્યું છે તેનું ખંડન કરી આ શ્લોકમાં અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે એમ ગ્રંથકારે પ્રતિપાદિત કર્યું છે. ‘વ્યાજસ્તુતિ અલંકાર ત્યારે થાય છે જ્યારે પ્રસ્તુતની નિંદા કરવામાં આવે જેનો અભિપ્રાય પ્રસ્તુતની જ પ્રશંસાનો હોય. એથી વિપરીત પ્રસ્તુતની પ્રશંસા કરવામાં આવે જેનો અભિપ્રાય પ્રસ્તુતની નિંદા કરવાનો હોય ત્યારે પણ ‘વ્યાજસ્તુતિ અલંકાર થયો કહેવાય છે. આ શ્લોકમાં બ્રહ્માના અવિચારીપણાની નિંદા વાચ્ય છે, અને તેમાંથી આ સ્ત્રી જેવી અનન્ય સુંદરીનું સર્જન કર્યું તેની પ્રશંસા ધ્વનિત થાય છે. આમ (પૂર્વપક્ષ મુજબ) આ વ્યાજસ્તુતિ’નું ઉદા. છે. પણ ગ્રંથકાર આનંદવર્ધન મુજબ જો આ શ્લોકના વાચ્ચાર્યનું પર્યવસાન કેવળ વ્યાજસ્તુતિ'માં થાય છે એમ માનીએ તો આખા શ્લોકની સંગતિ બેસતી નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy