SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ દવન્યાલોક ભાત થયો છે કેમ તે તપાસવા બેચાર દાણાની જ તપાસ કરવાથી ખબર પડે છે તે ન્યાયથી). તેઓ વધુમાં કહે છે, “વ્યંગ્ય-ઉપમાદિ અલંકારના સંસ્પર્શથી દીપક તથા વ્યંગ્ય નાયક નાયિકા વ્યવહાર મેરે વસ્તુના સંસ્પર્શથી ‘સમાસોક્તિ વગેરે અલંકારોમાં શોભાવૃદ્ધિનાં જે કેટલાંક ઉદા. આપ્યાં છે તે “સ્વાલી પુલાક ન્યાયથી આપ્યાં છે.” (૩) ડોલરરાય માંકડ-આગળના લક્ષણકારોએ અલંકારને વાચ્યની દષ્ટિએ જ તપાસ્યો છે, વ્યંગ્યત્વની દષ્ટિએ નહીં, એટલે પણ એકદેશીય રીતે તપાસ્યો છે એમ કહી શકાય. (પૃ. ૩૧૧) | (i) સૈકા સર્વેવ વક્ટોઃિ | ભામહ-કાવ્યાલંકારનાં મુદ્રિત પુસ્તકોમાં સર્વે ને સ્થાને) સર્વત્ર પાઠ છે. પણ આનંદવર્ધનની વ્યાખ્યા અને અભિનવ મુજબ સર્વેવ પાઠ, સંમત છે. અહીં વક્રોક્તિનો અર્થ ‘બધા અલંકારો’ એમ છે. ભામહે સ્પષ્ટ કહ્યું છે કે “વાચ્ય અને શબ્દની વક્ર ઉક્તિ જ વાણીનો અભીષ્ટ અલંકાર છે. ભામહ અલંકાર- વિચાર-પરંપરાના મુખ્ય આચાર્ય હોઈ તેમનું પ્રમાણ અહીં ટાંકયું છે. (i) યથા પોપમા તુયોગતા... ઈ. “રૂપક', 'ઉપમા’, ‘તુલ્યયોગિતા', ‘નિદર્શના આદિ અલંકાર સાદશ્યમૂલક છે. તેમાં ‘ઉપમા” સિવાય બધામાં સાદશ્ય ગમ્યમાન-વ્યંગ્ય હોય છે. તે વ્યંગ્ય સાદગ્ય વાચ્ય અલંકારના ચારુત્વાતિશયનો હેતુ હોય છે. તેથી વ્યંગ્ય, વાચ્યની અપેક્ષાએ ગૌણ હોવાથી, “ગુણીભૂત વ્યંગ્યતા’ સ્પષ્ટ છે. તેથી એ અલંકારોનાં નામ વ્યંગ્યના સાદશ્યના આધારે નહીં પણ વાચ્ય અનુસાર રાખ્યાં છે. કેટલાક વિદ્વાનો “રૂપકોપમા” ને એક પદ માની તેને રૂપક'નું વાચક માને છે. બીજા વિદ્વાનો ‘વન્દ્ર જીવ મુહમ્' વગેરે સ્થળે વિશેષ આહ્વાદ જન્માવવાપણું રૂપી સાધર્મ્સને વ્યંગ્ય માનીને તેનો સમન્વય કરે છે. ત્રીજા વિદ્વાનો ઉપમા શબ્દથી ઉપમામૂલક અલંકારોનું ગ્રહણ કરી સંગતિ બેસાડે છે. સમાસોતિ, આક્ષેપ, પર્યાયોક્તમાં વ્યંગ્ય અંશ વિના તેનું સ્વરૂપ નહીં બનતું હોવાથી તેમાં ગુણીભૂતવ્યંગ્યતા’ સ્પષ્ટ જ છે. (iv) મામહત્ય. ઈ. આખો શ્લોક આ પ્રમાણે છે. प्रभामहत्या शिखयेव दीपस्त्रिमार्गयेव त्रिदिवस्यमार्गः । संस्कारवत्येव गिरामनीषी तया स पूतश्च विभूषितश्च ॥ કુમારસંભવ ૧/૨૮. આ શ્લોકમાં ઉપમેયનાં ત્રણ ઉપમાન હોવાથી માલોપમાં છે, પણ “માલોપમાના ગર્ભમાં દીપક છે. (v) તવં ચડ્યાં . ઈ. ભાવાર્થ એ છે કે વ્યંગ્ય સંસ્પર્શના અભાવમાં
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy