SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ધ્વન્યાલોક સંગીતમાં, આનંદમાં જ, પસાર થતો તે આજે, મારા વગર, એકલી છે વગેરે સમજાતાં વિપ્રલંભની ઉત્તેજના થાય છે. ૧૨,૨ (i) માસ વિતુમેવ... ઈ. કોઈ નાયકે અપરાધ કર્યો છે; નાયિકા રડી રહી છે, નાયક તેને મનાવવા ઈચ્છે છે, તે પ્રસંગે નાયિકા આ શ્લોક કહે છે. ડૉ. રામસાગર ત્રિપાઠી આ શ્લોક સમજાવતાં લખે છે. “અહીં ‘દૂર જા’ આ ક્રિયા છે. તેની વ્યંજના નીકળે છે,” તારી મને મનાવવાની ચેષ્ટા કરવાનું વ્યર્થ છે. જ્યારે દેવે જ આવું વિધાન કરી દીધું તો તેને કોણ બદલી શકે છે? આ વ્યંજના દ્વારા નાયિકા નાયકને પોતાની હૃદયવેદના જણાવીને તેના હૃદયમાં સદ્ભાવના જગાડવા ઇચ્છે છે. આ રીતે અહીં કિડન’ વ્યંજના છે. એની સાથે બીજા શબ્દ પણ વ્યંજક છે. હવે જથી વ્યંજના નીકળે છે કે તમારી અનુયાયિની હોવાનું આ ફળ મળ્યું કે મારે જીવનભર રડવું પડશે. હતભાગી આંખો થી સૌભાગ્યનો અભાવ અને ‘તમારા આવા હૃદયને પણ ન જાણુંમાં હૃદય શબ્દથી નાયકની દુષ્ટતા વ્યક્ત થાય છે.” આ શ્લોકમાં ઈર્ષ્યા વિપ્રલંભ સૂચવાયેલ છે. . (i) માં પ્રસ્થાને રુ. ઈ. અહીં “દિ’ અને ‘૫.’ આ તિડા’ પદ સંભોગેચ્છાના પ્રકાશન દ્વારા સંભોગ શૃંગારને અભિવ્યક્ત કરે છે. આગળના શ્લોકમાં વિપ્રલંભ વ્યંગ્ય હતો એથી આ સંભોગ શૃંગારનું બીજું ઉદાહરણ આપ્યું છે. (ii) અન્યત્ર ત્રણ વાત...ઈ. કોઈ ધૈરાચારી સ્ત્રી ઘાટ ઉપર નાહવા બેઠી છે અને તેના પ્રેમમાં પડેલો કોઈ તરુણ તેના તરફ લાલસાભરી નજરે જોઈ રહ્યો છે. તેને ઉદેશીને પેલી સ્ત્રી કહે છે. ગાયમીયા- પોતાની પત્નીથી ડરનારા આ સંબંધ પછીથી તે પ્રચ્છન્ન, કામરીનો ઈર્ષ્યાતિશય સૂચિત થાય છે. તે ઈર્ષ્યાવિપ્રલંભશૃંગારને અભિવ્યક્ત કરે છે. “ભી કમાનો ક’ પણ સૂચક છે. તે અત્યંત અનાદર સૂચવે છે. (iv) ચમેન્ટે તયા વિયોગ. ઈ. વિક્રમોર્વશીયમ્ અંક-૪માં કુમારવનમાં પ્રવેશેલી ઉર્વશી લતા બની ગઈ. તેના વિયોગમાં વિલાપ કરતો રાજા પુરૂરવા આ શ્લોક બોલે છે. અહીં બે વાર “ર” નિપાતનો પ્રયોગ કર્યો છે. એ સૂચવે છે તેના વિયોગની સાથે ‘કાક્તાલીયન્યાયથી જે આ વર્ષના દિવસો આવી પહોંચ્યા છે તે ‘ઘા પર મીઠું ભભરાવવા જેવા’, પ્રાણ હરી લેવા પર્યાપ્ત છે. રમ્ય પદથી ઉદ્દીપન વિભાવ સૂચિત થાય છે. બે ‘વ’ નો પ્રયોગ વિપ્રલંભશૃંગારને અભિવ્યક્ત કરે છે. . (૫) મુહુતિવૃતાથs... ઈ. “અભિજ્ઞાનશાકુંતલ' (અંક-૩)માં દુષ્યના શકુંતલાનું એકાંત મિલન થતાં રાજા તેને ચુંબન કરવાનો પ્રયત્ન કરે છે. ગૌતમી આવતાં શકુંતલા ચાલી જાય છે. પછીની દુષ્યન્તની આ ઉક્તિ છે. આમાં 'તું (પણ) પશ્ચાત્તાપનો સૂચક છે. માત્ર ચુંબન મળ્યું હોત તો પણ હું કૃતાર્થ થઈ જાત
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy