SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યાલોક ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિર્વેદ એમ નવ સ્થાયિભાવ માન્યા છે. જોકે સ્થાયિભાવ અને રસની સંખ્યા કેટલાક આચાર્યો નિર્વેદ નામના ભાવને અને તેમાંથી પરિણમતા શાંતરસને નહીં માનતા હોવાથી, આઠની પણ (કેટલાક આચાર્યોએ) ગણાવી છે. (૨) વિભાવ-તે પદાર્થ, જેનાથી સ્થાયિભાવ ઉબુદ્ધ થાય છે તે ‘વિભાવ કહેવાય છે. તે બે પ્રકારના છે આલંબન અને ઉદ્દીપન. નાયક-નાયિકા આલંબન વિભાવ છે અને ઉદ્યાન, ચંદ્રોદય અનેક ઉદ્દીપન વિભાવ છે. આલંબન વિભાવથી સ્થાયિભાવ ઉબુદ્ધ થાય છે અને ઉદ્દીપન વિભાવથી અંકુરિત થઈ જાય છે. અંકુરણ પણ ઉબોધનનું જ એકરૂપ છે. (૩) અનુભાવ-બાહ્ય કટાક્ષ વગેરે ચેષ્ટાઓ ‘અનુભાવ કહેવાય છે. તેનાથી સ્થાયિભાવ પ્રતીત થવા લાગે છે. વિભાવ સ્થાયિભાવનાં કારણ મનાય છે. અનુભાવ કાર્ય મનાય છે. જ્યારે ઉદ્દીપન વિભાવથી રતિ વગેરે વાસના ઉબુદ્ધ થઈ જાય છે. ત્યારે તે વાસનાઓનો પ્રભાવ બહાર દેખાવા લાગે છે. મનોગત ઉદ્દબદ્ધ વાસના પ્રમાણે મનુષ્યની ચેષ્ટા, આકારભંગી વગેરે જોવા મળે છે. ચેષ્ટાઓ ઉબુદ્ધ વાસના અનુસાર હોય છે એનાથી પછી-પશ્ચાત્ હોવાથી તેને ‘અનુભાવ' કહે છે ('મનું पश्चाद् भवन्ति' इति अनुभावाः) (૪) વ્યભિચારિભાવ યા સંચારિભાવ-તે સ્થિર ન રહેનારી ચિત્તવૃત્તિઓ છે. વિવિધમાકુયેન વન્તતિ મવારિક | લોચન. સ્થાયિભાવ, સ્થાયી હોય છે તો વ્યભિચારિભાવ અસ્થાયી હોય છે. ધૃતિ, શંકા, શ્રમ વગેરે વ્યભિચારિભાવો છે. આમ આલંબન અને ઉદ્દીપન વિભાવોથી સ્થાયિભાવ ઉબુદ્ધ થાય છે. અનુભાવોથી પ્રતીતિ યોગ્ય થાય છે અને વ્યભિચારિભાવોથી પુષ્ટ થઈને-પોષાઈનેઆસ્વાદ્યમાન થઈ જાય છે. રસ થઈ જાય છે. રસધ્વનિ ત્યાં હોય જ્યાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવના સંયોગથી સ્થાયિભાવની પ્રતિપત્તિ થાય અને અનુશીલન કરનાર, સ્થાયિભાવના અનુશીલનથી આસ્વાદ-પ્રકર્ષનો અનુભવ કરે જેમકે- ‘રત્નાવલીમાં વત્સરાજ ઉદયનને વિદૂષકની સાથે ઉદ્યાનમાં જતાં એક ચિત્રફલક મળ્યું. તેમાં રત્નાવલીનું-સાગરિકાનું ચિત્ર દોસયેલું હતું. તે ચિત્રને જોઈને ઉદયન, વિષકને કહે છે. कृच्छ्रादूरुयुगं व्यतीत्य सुचिरं भ्रान्त्वा नितम्बस्थले मध्येऽस्यास्त्रिवलीतरङ्गविषमे निष्पन्दतामागता। मद् दृष्टिस्तृषितेव संप्रति शनैरारुह्य तुङ्गो स्तनौ સારું મૂહુરીતે બનવનિની નોરને . (૨:૧૧) અર્થાત્ ‘પરાણે સાથળના ભાગને વટાવી લાંબો સમય નિતંબ પર ફરીને તેના
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy