SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૧૮,૧૯) છે. આ ઉદાહરણમાં પ્રયોજન “શૈત્ય, પાવનત્વની પ્રતીતિ' છે. એ પ્રયોજન અભિધાથી, બીજી લક્ષણા કરવાથી, પ્રયોજન સાથેની વિશિષ્ટ લક્ષણા કરવાથી, અને તાત્પર્યવૃત્તિથી સમજી શકાતું નથી. પ્રયોજન વ્યંજના વ્યાપારથી જ પ્રાપ્ત થાય છે. મમ્મટે કાવ્યપ્રકાશના દ્વિતીય ઉલ્લાસમાં, તેમજ અન્ય આલંકારિકોએ આનું પ્રતિપાદન કર્યું છે. પ્રસ્તુત કારિકામાં ‘’ શબ્દ (શેત્ય પાવનત્વાદિ) પ્રયોજન માટે છે. શેત્ય પાવનત્વરૂપ પ્રયોજનનો બોધ “મા” શબ્દ જ કરાવી શકે છે. લક્ષણાનું કામ ફક્ત અભિધાથી પ્રાપ્ત થતા વાચ્યાર્થ-મુખ્યાર્થની બાધા દૂર કરવાનું છે. લક્ષણા અભિધાના પુચ્છ જેવી છે. પ્રયોજન માટે ત્રીજી વૃત્તિ, વ્યંજનાવૃત્તિનો આશ્રય લેવો જોઈએ. ઉન્નતિઃ - આ શબ્દ બાધિતાર્થ બોધક છે. થીમ્ ઘોષ: I એવા લક્ષણાના ઉદાહરણમાં શૈત્યપાવનત્યાદિ પ્રયોજન-લ-ની પ્રતીતિ (બીજી) લક્ષણાથી થતી નથી, કેમકે તટ- લક્ષ્યાર્થ છે. બીજી લક્ષણા કરવા માટે તટ ને મુખ્યર્થ ગણવો પડે. તટ શબ્દ, સ્મલિત ગતિવાળો નથી અર્થાત્ જેનો અર્થ ન થતો હોય તેવો નથી, એટલે કે બાધિતાર્થ બોધક’ નથી. તેથી (બીજ) લક્ષણાથી નહીં પણ વ્યંજના વ્યાપારથી જ પ્રયોજનની પ્રતીતિ થાય છે. કારિકા-૧૮ અને વૃત્તિ ભક્તિ (લક્ષણા) એ ધ્વનિનું લક્ષણ નથી કેમકે એમ માનવાથી ‘અવ્યાપ્તિ’ દોષ થાય છે એ અહીં સમજાવ્યું છે. ધ્વનિના બે ભેદ, અવિવક્ષિતવાચ્ય” અને “વિવક્ષિતાન્યપરવાચ્ય', આ ઉદ્યોતમાં દર્શાવ્યા પછી દ્વિતીય ઉદ્યોતમાં તે બંનેના બબ્બે ભેદ ગણાવવામાં આવનાર છે. અવિવક્ષિતવાચ્ય’ના બેય ભેદમાં લક્ષણો હોઈ શકે છે. પણ ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ના અસંલક્ષ્યમવ્યંગ્ય’ નામના ભેદમાં લક્ષણાને અવકાશ નથી. એ પ્રકારમાં રસ, ભાવ, રસાભાસ વગેરેનો જ ધ્વનિ હોય છે. ધ્વનિ અને લક્ષણા પૂરેપૂરાં વ્યાપ્ત થતાં નથી તેથી બન્ને એક નથી. ધ્વનિના બધા ભેદમાં લક્ષણા નહીં હોવાથી અવ્યાપ્તિ દોષ થાય છે. ટૂંકમાં, અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનો દોષ આવતો હોવાથી લક્ષણા અને ધ્વનિ બન્ને એક નથી તેમજ લક્ષણા ધ્વનિનું લક્ષણ નથી. કારિકા-૧૯ અને વૃત્તિ ઃ (i) ઉપલક્ષણ=પ્રાસંગિક ચિન. (accidens). ઉદા. જાન રેવદ્રત્તી Jરમ્ | જેમકે કોઈક, શેરીમાં જઈ પૂછે કે દેવદત્તનું ઘર કયું? જાણકાર જવાબ આપે કે ‘પેલો કાગડો બેઠો છે તે.’ બીજાં બધાં ઘરથી જુદું તારવવા માટે, એ વખતે દેવદત્તના ઘર પર કાગડો બેઠો હોય તે બતાવીને આમ કહી શકાય. પણ કાકાએ દેવદત્તના ઘરનું પ્રાસંગિક ચિહ્ન- ઉપલક્ષણ છે, કાયમી ચિહ્ન નથી. લક્ષણ નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy