SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) ३२७ અલંકારનું અભ્યત્યાન કરે છે તેથી અનુગ્રાહક હોવાથી ગુણીભૂત થઈ ગઈ છે. તેનું પર્યવસાન સંદેહમાં થાય છે. (ii) સં.િ.. . I સંકરાલંકારના બધા ભેદોમાં સંકર (મિશ્રણ) શબ્દનો પ્રયોગ તેની સંકીર્ણતાનો પ્રતિપાદક છે. ત્યાં જ એકની પ્રધાનતા થઈ જાય તો પછી સંકર જ ક્યાં રહેશે ? તેથી સંકર શબ્દનો પ્રયોગ જ ત્યાં વ્યંગ્ય પ્રાધાન્યરૂપ ધ્વનિનું નિરાકરણ કરી દે છે. બે કે તેથી વધુ અલંકારો એક શ્લોકમાં મળે ત્યાં “સંસૃષ્ટિ” અને “સંકર નામના મિશ્ર પ્રકારના અલંકાર બને છે. સંસૃષ્ટિ' માં અલંકારો, ખીચડી માટે ભેગા કરેલ દાળ-ચોખાના દાણા જેમ જુદા જોઈ શકાય છે તેમ જુદા દેખી શકાય છે. ‘સંકર’માં અલંકારો દુધ-પાણીની જેમ, સોડા-લેમનની જેમ ભેગા થાય છે. આ બન્ને માટે અનુક્રમે “તિલતંડુલન્યાય’ અને ‘ક્ષીરની રચાય' એવા શાસ્ત્રીય શબ્દો પ્રયોજવામાં આવે છે. (iv) અભિનવગુપ્ત ન મતિ પુનરી - ઈ. શ્લોક ઉદાહરણ તરીકે આપ્યો છે. કેવળ પ્રસિદ્ધિને આધારે ચાલનારા દુષ્ટોને ગુણો પ્રત્યે અનુરાગ નથી હોતો. ચંદ્રકાંત મણિ ચંદ્રને જોઈને તો પીગળી જાય છે, પણ પ્રિયાનું મુખ જોઈને નથી પીગળતો.” આ અને આવાં અન્ય ઉદાહરણોમાં વ્યંગ્યનું પ્રાધાન્ય છે. તેને “સંકરાલંકારને બદલે અલંકાર ધ્વનિનું ઉદા. માનવાનો પૂર્વપક્ષનો આગ્રહ હોય તો સિદ્ધાંત પક્ષનો જવાબ એ છે કે એ જ ધ્વનિ છે, સમગ્ર ધ્વનિ એમાં સમાઈ જાય છે, એમ ન કહી શકાય. ધ્વનિનું ક્ષેત્ર અનેકગણું વિશાળ છે, તે મહાવિષય છે એ ‘પર્યાયોક્ત'ની ચર્ચા વખતે જણાવ્યું છે. ૧૩.૮ (i) અપ્રસ્તુતપ્રશંસા-વૃત્તિમાં જ્યાં સાત અલંકારોનાં નામ આપ્યાં છે તેમાં આનો ઉલ્લેખ નથી પણ યાદીને અંતે “માદ્રિ” લખ્યું છે તેથી ‘અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું નિરૂપણ વ્યાજબી છે. (ii) અભિનવગુપ્ત લોચન (પૃ. ૧૨૬ - જગન્નાથ પાઠક્ક સંપાદિત આવૃત્તિમાં)માં ‘અપ્રસ્તુતપ્રશંસાનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે. अधिकारादपेतस्य वस्तुनोऽन्यस्य या स्तुतिः । अप्रस्तुतप्रशंसा सा त्रिविधा परिकीर्तिता ॥ ‘અપ્રસ્તુતના કથન દ્વારા પ્રસ્તુતનો બોધ કરાવવામાં આવે, તેને ‘અપ્રસ્તુતપ્રશંસા કહે છે...પ્રસ્તુત અને અપ્રસ્તુતના ત્રણ પ્રકારના સંબંધને આધારે આ અલંકારના પ્રકાર પાડેલા છે. ' (૧) સામાન્ય- વિશેષભાવું (૨) કાર્ય-કારણભાવ (૩) સાદશ્યઆ અલંકાર પાંચ રીતે બને છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy