SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૩૩ ૨૨૭, શબ્દનો મુખ્ય વ્યાપાર છે એમ કરે છે. કેમ કે વાક્યો ઘણે ભાગે (સ્વ અર્થનો ત્યાગ ર્યા વિના પણ) વાચ્યથી ભિન્ન તાત્પર્યવિષયક અર્થમાં પ્રકાશક હોય છે. (શંકા) તમારા મતમાં પણ જ્યારે અર્થ (રસાદિ, અલંકાર તથા વસ્તુ) ત્રણે વ્યંગ્યોને પ્રકાશિત કરે છે ત્યારે શબ્દનો ક્યા પ્રકારનો વ્યાપાર થાય છે? (સમાધાન) કહે છે-પ્રરણ આદિથી વિશિષ્ટ શબ્દને કારણે જ અર્થને એવું વ્યંજત્વ પ્રાપ્ત થાય છે તેથી તેમાં શબ્દનો ઉપયોગ હોય છે. (અને એમાં) અમ્બલદ્ગતિત્વ, સક્તગ્રહનું અનુપયોગિત્ય અને પૃથફ અવભાસિત્વને કેવી રીતે છૂપાવી શકાય છે? ગુણવૃત્તિ અને વ્યંજકત્વનો વિષયભેદ પણ સ્પષ્ટ જ છે. કેમ કે વ્યંજકત્વના રસાદિઓ, અલંકારવિશેષો અને વ્યંગ્યરૂપવિશિષ્ટ વસ્તુ એમ ત્રણ વિષય છે. તેમાંથી રસાદિની પ્રતીતિને કોઈ પણ “ગુણવૃત્તિ’ કહેતું નથી. અને કહી પણ ન શકે. વ્યંગ્ય અલંકારની પ્રતીતિ પણ એવી જ છે. (તેને પણ કોઈ “ગુણવૃત્તિ” કહેતું નથી અને કહી પણ ન શકે) વસ્તુની ચારુતાની પ્રતીતિને માટે પોતાના શબ્દ દ્વારા અભિધાન ન કરવા રૂપે જેના પ્રતિપાદનની ઇચ્છા કરવામાં આવે છે તે વ્યંગ્ય હોય છે. તે બધાં ગુણવૃત્તિનો વિષય નથી. કેમકે પ્રસિદ્ધ (રૂઢિલક્ષણાના કુશલ, લાવણ્ય વગેરે શબ્દો) અને અનુરોધ (વ્યવહારના અનુરોધથી)માં પણ ગૌણ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે તેથી એમ પહેલાં કહ્યું છે. અને જ્યાં (જયાં ઘોષ:' જેવાં પ્રયોજનવતી લક્ષણાનાં ઉદાહરણોમાં શીતળતા, પવિત્રતાની પ્રાપ્તિ વગેરે) ગુણવૃત્તિનો વિષય હોય છે તે પણ વ્યંજકત્વના સંબંધથી થશે. (અનુપ્રવેશથી) તેથી ગુણવૃત્તિથી પણ વ્યંજકત્વ અત્યંત વિલક્ષણ છે. વાચકત્વ તથા ગુણવૃત્તિથી ભિન્ન હોવા છતાં પણ (વિલક્ષણ હોવા છતાં), તેની (વ્યંજત્વની) વ્યવસ્થા તે બન્નેના (વાચક–=અભિધા તથા ગુણવૃત્તિલક્ષણા)ને આશ્રયે જ હોય છે. વ્યંજત્વ કોઈક વખત, વાચકત્વ (=અભિધા)ના આશ્રયે ગોઠવાય છે, જેમકે વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિ'માં તો કોઈક વાર ગુણવૃત્તિ ( લક્ષણા)ના આશ્રયે (રહેલું હોય છે.) જેમ કે “અવિવક્ષિતવાચ્ય ધ્વનિ'માં. તેનું (વ્યંજત્વનું) ઉભયાશ્રયત્ન (વાચક તથા ગુણવૃત્તિમાં રહેવાપણું) પ્રતિપાદિત કરવાને જ પહેલાં ધ્વનિના બે ભેદો (અવિવક્ષિતવાચ્ય = લક્ષણામૂલકધ્વનિ અને વિવક્ષિતા પરવાચ્ય = અભિધામૂલધ્વનિ) કર્યા છે. તે બેને આશ્રયે તે (વ્યંજકત્વ) રહે છે તેથી તેનું તેની સાથે (વાચકત્વ અને ગુણવૃત્તિ સાથે) એકરૂપત્ય કહી શકાય નહીં. કેમ કે, તેનું વાચકત્વ (અભિધા) સાથે એકરૂપત્યું નથી, કોઈક વખતે લક્ષણાશ્રયે તે રહે છે તેથી. લક્ષણો સાથે પણ એકરૂપત્વ નથી, અન્યત્ર વાચત્વાશ્રયથી તેની વ્યવસ્થા હોવાથી. (રહેતું હોવાથી) અને વળી, ઉભયધર્મત્વથી જ તેનું એકરૂપત્વ નથી એમ નથી, પણ વાચકત્વનાં લક્ષણાધિરહિત શબ્દધર્મત્વથી પણ છે. જેમ કે ગીતધ્વનિનું
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy