SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ તૃતીય ઉદ્યોતઃ ૪, ૫, ૬ વાક્યરૂપ ( = વાક્ય પ્રકાશ્ય) અલક્ષ્યક્રમવ્યંગ્ય (અસંલક્ષ્યમવ્યંગ્ય) ધ્વનિ શુદ્ધ અને અલંકારમિશ્રિત એમ બે પ્રકારનો માનવામાં આવ્યો છે. તેમાં શુદ્ધનું ઉદાહરણ, જેમ કે રામાભ્યદયમાં 'વૃતતૈિ ” વગેરે શ્લોક. આ વાક્ય પરિપુષ્ટિને પ્રાપ્ત (સીતા અને રામના) પરસ્પરના અનુરાગને પ્રદર્શિત કરતો બધી બાજુથી (સંપૂર્ણ વાક્યરૂપ) જ રસ તત્ત્વ ને અભિવ્યક્ત કરી રહ્યો છે. અલંકારમિશ્રિત, જેમકે “મરનવનવીપૂળોઢા વગેરે શ્લોક. અહીં વ્યંજક (૨/૧૮ કારિકામાં) યથોક્ત (કહેલાં) લક્ષણોથી યુક્ત રૂપકથી અલંકૃત રસ સારી રીતે સૂચવાય છે. (સંઘટનાના ત્રણ ભેદો) કારિકા-૫ અને વૃત્તિ: અલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ સંઘટનામાં (પણ) દેખાય છે, એમ કહ્યું તેમાં સંઘટનાનું સ્વરૂપ હવે કહે છે. (નિરૂપણ કરે છે) સંઘટના રીતિ) ત્રણ પ્રકારની કહી છે : સમાસ વિનાની, મધ્યમ (નાના, નાના) સમાસોથી શોભતી અને દીર્ઘસમાસવાળી. (વામન, ઉભટ વગેરે) કેટલાકે. કારિકા-અ અને વૃત્તિ ઃ તે (પૂર્વવર્તી વામન વગેરે એ પ્રતિપાદિત કરેલી રીતિ અથવા સંઘટના) નો કેવળ અનુવાદ કરી આમ કહે છે માધુર્યાદિ ગુણોને આશ્રયે રહીને રસોને તે (સંઘટના) અભિવ્યક્ત કરે છે.” (ગુણ અને સંઘટનાના સંબંધ વિષયક ત્રણ વિકલ્પ) આ સંઘટના રસાદિને વ્યક્ત કરે છે અને ગુણોને આશ્રયે રહેલી છે એમ કહ્યું). અહીં વિકલ્પ કરાય. ગુણોનું અને સંઘટનાનું ઐક્ય છે (અભેદ છે) કે વ્યતિરેક (ભેદ) ? (અર્થાત્ ગુણ અને સંઘટના એક જ વસ્તુ છે અથવા બે જુદી જુદી વસ્તુ છે ?) વ્યતિરેક (ભેદ)માં પણ બે ગતિ છે (બે વિકલ્પ થઈ શકે છે). ગુણોને આશ્રયે ‘સંઘટના છે કે “સંઘટનાને આશ્રયે ગુણો છે. તેમાં “ઐક્ય” (અભેદ) પક્ષમાં અને “સંઘનાશ્રિત ગુણ પક્ષ” (=સંઘટનાને આશ્રયે રહેલ ગુણોના પક્ષમાં) સંઘના આત્મભૂત (એટલે કે સંઘટનાથી અભિન્નરૂપે) અથવા આધેયભૂત ગુણોને આશ્રયે રહીને રસાદિને વ્યક્ત કરે છે, એવો અર્થ થાય છે. જો (ગુણ અને સંઘટના) જુદાં છે એ (પક્ષ) માનીએ (= ભેદ પક્ષમાં) અને સંઘના ગુણને આશ્રયે રહેલી છે એમ માનીએ તો, સંઘના ગુણોને આશ્રયે એટલે કે ગુણોને અધીન, રહે છે, ગુણરૂપ નથી (આમ રહીને રસાદિને વ્યક્ત કરે છે), એવો અર્થ થાય.. – પણ આવા વિકલ્પ કરવાનું કારણ શું એમ (પૂછો તો) કહીએ છીએ કે જો ગુણ અને સંઘના એક તત્ત્વ છે (તેનો અભેદ છે એમ માને તો) અથવા
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy