SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક એકથી વધુ સંપ્રદાય સાથે પણ જોવા મળે છે. “નદીના પ્રવાહની જેમ શાસ્ત્રનો પણ પ્રવાહ પ્રારંભમાં નાનો શો હોય છે, વધતાં વધતાં વિશાળ બનતો જાય છે. એવાં શાસ્ત્ર લોકાદરનાં ભાજન બને છે.” એમ એક અજ્ઞાત કવિના સુભાષિતમાં કહ્યું છે.' રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય વગેરેમાં સંપ્રદાય (Schools) શબ્દ કેમ પ્રયોજાય છે? મ. મ. બલદેવ ઉપાધ્યાય કહે છે, “સંપ્રદાયની સંજ્ઞા મેળવવાનો અધિકારી તે સિદ્ધાન્ત થઈ શકે છે જેની કોઈ પરંપરા હોય. અર્થાત્ જે કોઈ આચાર્યનો વિશિષ્ટ મત હોઈને જ સીમિત ન રહે પણ પરવર્તી આચાર્ય દ્વારા પરિઍહિત તથા વિકસિત કરાયો હોય, તથા જેને માનનારા અનેક આચાર્યોનું અસ્તિત્વ વિદ્યમાન હોય.”મ. મ. પી. વી. કાણે આ બધા સંપ્રદાયો માટે school શબ્દ પ્રયોજે છે. શ્રી દાસગુપ્તા આ વાતનો વિરોધ કરે છે. જી. ટી. દેશપાંડે સંપ્રદાય નહીં પણ ‘વિકાસક્રમ” કહેવાના મતના છે તેઓ લખે છે, “સંપ્રદાયની કલ્પનામાં એક મહત્ત્વપૂર્ણ વિશેષ એ છે કે આપણે જે વાતનો પુરસ્કાર કરીએ છીએ તેનું પ્રતિપાદન કરવામાં અન્ય બધી વાતનો અભાવ સિદ્ધ કરવો પડે છે. પણ આ આલંકારિકોએ એવું નથી કહ્યું. ભામહનો રસ કે ગુણોથી વિરોધ નથી. વામનનો રસ કે અલંકારથી વિરોધ નથી. આનંદવર્ધનને ગુણ કે અલંકારથી વિરોધ નથી. વિચારો ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા ગયા છે.''' ડૉ. તપસ્વી નાન્દી સંપ્રદાયને બદલે “વિચાર પરંપરાઓ’ શબ્દ પ્રયોજે છે." ભરતના નાટયશાસથી પંડિત જગન્નાથના “રસગંગાધર’ સુધી સંસ્કૃત અલંકારશાસ્ત્રનો જે વિકાસ પંથ છે તેમાં શ્રી આનંદવર્ધનાચાર્યનો “ધ્વન્યાલોક' એક મહત્ત્વનો mile stone-સીમાચિહ્નરૂપ ગ્રંથ છે, અલંકારશાસ્ત્રની આકાશગંગામાં તે એક અગત્યનો તેજસ્વી તારક છે. વ્યાત્મિક ધ્વનિઃ ” એવું આરંભમાં જ વિધાન કરીને તેમણે તે ગ્રંથમાં ક્રમશઃ સિદ્ધ કરેલ છે. 1. સરિતામિવ પ્રવીણી, તુછી પ્રથમં યથોત્તર વિપુસ્ત: | ये शास्त्रसमारंभा भवन्ति लोकस्य ते वन्द्याः ।। IT. ચં. દેશપાંડે-મારતીય સાહિત્યશાસ્ત્ર (હિની માવૃત્તિ) 9. ? પરથી ઉદ્ભૂત. 2. . P. ૩૫ાધ્યાય વર્તદ્વ-મારતીય સાહિત્યશાસ્ત્ર મા-૬, પૃ. ૧૮૧. 3. “I am forced to submit a dissenting note to this way of classification.” S. N. Dasgupta. 4. પાડે ચન્વ-મારતીય સાહિત્યશાસ્ત્ર પૃ. ૨૪૮. 5. ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ ડૉ. તપસ્વી નાન્દી-આ ગ્રંથના શીર્ષકમાં. 6. આનંદવર્ધન-ધ્વન્યાલોક ૧/૧.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy