SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મને વિજ્ઞાન મેહના ઘરમાં રહીને મોહને જીત્યે સ્યુલિભદ્રજીમાં બ્રહ્મચર્યને મહાન ગુણ હોવાથી મહા મંગલકારી છે. રણક્ષેત્રમાં તો શત્રુને સૌ જીતે પણ, શત્રુના ઘરમાં દાખલ થઈને શત્રુને જીતી લેનારા વિરલા હોય છે. તેમ જંગલમાં અને પર્વતની ગિરિકંદરાઓમાં રહીને મેહને જીતી લેનાર ઘણાં હોય છે. પણ મેહના ઘરમાં રહીને મોહને જીતી લેનારા વિરલા હોય છે. સ્થૂલિભદ્રજીએ કેશાને ત્યાં ચાર ચાર મહિના પર્યત રંગરાગના વાતાવરણની વચમાં રહીને જે બ્રહ્મચર્ય વ્રતનું અખંડપણે પાલન કર્યું છે તે ઘણું જ દુષ્કર કર્યું છે. સ્યુલિભદ્રજીના જીવનમાં એ એક અલૌકિક ઘટના બની છે. તેમના ગુરુ સંભૂતિવિજ્ય નામે મડા મુનિ હતા.તેમની પાસે ચાર મુનિ ભગવતે જુદા જુદા સ્થાને ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. તેમાંથી એક મુનિ સિંહની ગુફા પાસે ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગે છે. બીજા એક મુનિ સર્પના બીલ પાસે ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગે છે. ત્રીજા એક મુનિકૂવાની મધ્ય ભાગમાં (અંતરા) રહેલા લાકડા ઉપર ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગે છે અને સ્થલિ ભદ્રજી કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની આજ્ઞા માગે છે. ગુરુ ભગવંત ચાર મુનિવરોને તે તે સ્થાનમાં ચાતુર્માસ ગાળવા માટેની આજ્ઞા આપી દે છે. ગુરુ ભગવંતની આજ્ઞા શિરોમાન્ય કરીને ચારે મુનિપુંગ નિર્ણય કરેલા સ્થાને ચાતુર્માસ ગાળવા જાય છે. તેમાં ઘુલિભદ્રજી કેશાને ત્યાં જાય છે. સ્યુલિભદ્રજીને કોશા સાથે સંસારીપણે બાર વર્ષને સમાગમ છે. કેશા તે પૂર્વના સંબંધને લીધે સ્યુલિભદ્રજી ઘરઆંગણે પધારતાં હર્ષઘેલી બની જાય છે. કેશાના અંતરમાં આનંદની અવધિ થઈ જાય છે. સ્થૂલિભદ્રજી પોતાના ક૫ મુજબ કેશાની અનુજ્ઞા લઈને તેના મકાનમાં ઉતરે છે. કોશા પણ રમ્ય ચિત્રશાળામાં મહા
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy