SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ મનોવિજ્ઞાન વિલ્લાસવાળે બની જાય તો કામ કાઢી જાય અને પુણ્યની મીઠાશમાં જ રાચ્યા કરે તો જીવને ઘણું મેટું નુકશાન થઈ જાય. પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વિના રત્નત્રયની આરાધનામાં વિલાસ પ્રગટતો નથી. માટે માર્ગમાં પુણ્યાનુબંધી પુણ્યની જ ઉપાદેયતા છે. ભલભભા દુનિયામાં પુદયને જીરવી શકતા નથી અને ઉન્મત્ત બની જાય છે. તેવા પુદયવાળા હેવા છતાં જ્ઞાનીની દૃષ્ટિમાં દયાને પાત્ર છે. આવું સાંભળ્યા પછી હવેથી કેઈનાં પણ હાટ-હવેલી કે બંગલા જોઈને મોઢામાં પાણી નહિલાવતા તેવા પણ ધર્મથી વિમુખ બનેલાં હોય તે મનમાં કરૂણા લાવજો અને પાણી જ લાવવું હોય તો મોમાં નહિ પણ આંખમાં લાવજે કે આ બિચારાં અત્યારે તે સુખનાં શિખર ઉપર છે, પણ સન્માર્ગથી એટલા બધા દૂર નીકળી ગયેલા છે કે ભવિષ્યમાં ઊભા રહેવા તળેટીમાં યે જગ્યા નહિ મળે અને કયાંના કયાં દુ:ખની ઊંડી ખીણમાં ફેકાઈ જશે ફરી અનંત કાળે સુખ રૂપી શિખરનાં દર્શન નહિ પામે. - જ્ઞાની શું વિચારે ! રાજા મહારાજાઓનાં અને શ્રીમતેના વૈભવને જોઈને અજ્ઞાનીને મેમાં પાણી આવે, જ્યારે જ્ઞાનીને મેંમાં પાણી આવે જ નહિ-જ્ઞાની તે વિચારે કે આ બિચારા વૈભવ અને વિલાસમાં એવા ખૂંચી ગયેલા છે કે ભવિષ્યમાં શું થશે એમ વિચારતાં જ્ઞાનીનાં અંતરમાં કરૂણાનાં સાગર ઉભરાય છે. જ્યારે આ તે જગતના મોટા ભાગનાં જીવની સ્થિતિ પિલા બિલાડા જેવી છે. એકલું દુધ જુએ પણ પાછળની ડાંગ ન જુએ. જગતનાં છે તેવી રીતે કામભેગાદિમાં સુખને જેનારાં છે. પણ તેની પાછળનાં દારૂણ વિપાકને જેનારા નથી જે વિપાકને જોતાં થઈ જાય તે પિતાને આત્મા આજે કાબૂમાં આવી જાય.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy