SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મનોવિજ્ઞાન બીજાનો સાથ જોઈએ, જ્યારે અત્યારે તમને દેવગુરુ અને ધર્મને સાથ મળે છે માટે કર્મસત્તા સામે બરાબરની બાથ ભીડી લે કે જેથી તેને ખડે નીકળી જાય અને આત્મા ઉપરથી સદાકાળ માટે કર્મશત્રુનો ભય ટળી જાય અને આત્મા સદાકાળને માટે નિર્ભય બની જાય. જીવરાશિના વિભાગ જીવરાશિનાં ચાર વિભાગ પડે છે. ભવિ, “અભવિ” દુર્મવિ, “અને જાતિભવ્ય” જેનાં સંસારનું પરિભ્રમણ બહુ લાંબું નથી. એક પુગલ પરાવર્ત જેટલાં કાળમાં પણ જે જીવ મોડમાં મોડે મોક્ષપદને પામે તેને ભવિ કહેવાય. ઘણાં લાંબા ગાળે જેને મેક્ષ થવાનું હોય અથવા એક પુદ્ગલ પરાવર્તન કાળથી જે જીવને સંસાર અધિક હોય તે દુર્ભવિ. જે જીવને સંસાર અનાદિ અનંતમે ભાગે છે, જે જીવો મોક્ષપદને પામવાની ચેગ્યતા ધરાવતા નથી તેવા જી અભવિની કોટિના ગણવા. ચેથા પ્રકારમાં જાતિભવ્ય છે. મોક્ષની યોગ્યતા જે જીમાં હોવા છતાં જે જીવો તથા પ્રકારની સામગ્રીનાં અભાવે કઈ પણ કાળે મોક્ષપદને પામવાના નથી, એટલું જ નહિ, પણ જે જીવો કઈ પણ કાળે અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં પણ આવ્યા નથી આવતા નથી, ને આવવાના નથી તે જીવેની ગણના જાતિભવ્યમાં થાય છે. તમને ઘડીભરને માટે મનમાં શંકા થશે કે એવું શું કારણ કે એ બિચારાં જીવે ઉંચે જ આવતા નથી ? આ રીતની શંકાનાં સમાધાનમાં જ્ઞાની ભગવંતે એ એટલું જ ફરમાવ્યું છે કે ત્યાં બીજું કોઈ કારણ નથી, પણ તે બિચારાં જીવની કઈ ભવિતવ્યતા જ તેવા પ્રકારની છે કે ઉંચે આવતા નથી.દરેક આરસનાં પત્થરમાં પ્રતિમા થવાની ગ્યતા રહેલી છે પણ તથા પ્રકારની કારણસામગ્રીના.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy