SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ પુણ્યભવ સુખ ૩૨૩ આવી જાય. પરંતુ જ્ઞાનીને તે ઉલ્ટી તેવા પરમા ભૂલેલા ધનાઢયોની દયા આવે છે. કારણ કે સુખનાં જ્યાં તમામ બાહ્ય સ ચાગા હૈાય ત્યાં પણ જ્ઞાનીએ અંતરદાહ જોયા છે. પરમાથ ભૂલેલાનાં ભાવિનાં દુઃખના વિચાર કરતાં જ્ઞાનીને આંખમાં પાણી આવી જાય છે. જ્યાં જ્યાં અજ્ઞાનીને મેઢામાં પાણી ત્યાં ત્યાં જ્ઞાનીને આંખમાં પાણી. જ્ઞાની વિચારે છે કે વિષય સુખમાં આસક્ત બનેલા બ્રહ્મદત્ત જેવા ચક્રવતી પણ સાતમી નરકનાં અધિકારી બન્યા છે. માટે પરિણામને વિચાર કરનાર ગમે તેવાં પુણ્યના સુખમાં પણ પ્રમાદી બનતાં નથી. વિનાશની સંભાવનાથી મનનું સતતપણુ હવે બીજા મુદ્દાના વિચાર કરીએ, બીજો મુદ્દો તાપને છે. સ’સારમાં બધા પ્રકારના ભાગ સુખ અંતે વિનાશશીલ છે, અને એક દિવસે નિશ્ચિતપણે તેના વિયાગ થવાના છે એટલે ભાગકાળમાં તેના વિનાશની સંભાવનાથી મનમાં તાપ રહ્યા કરે, તેને તાપ દુઃખ કહેવામાં આવે છે. અરેરે! રખે મને આ મળેલા સુખના વિયેાગ થઈ જશે તે ? દા. ત. એક કારખાનામાં ઘણાં માણસા નેાકરી કરતાં હાય તેમાંથી એ પાંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હાય, એટલે બીજાને પણ ચિંતા ચાય : રખે આપણી પણ નાકરી ચાલી જશે તે ! ઈરાકનાં રાજા ફેઝલને રાજ્યગાદી પરથી ત્યાંની પ્રજાએ ઉઠાડી મૂકવ્યાં, મારી નાખ્યા, એ સાંભળીને જોર્ડનનાં રાજાને ચિંતા થઈ : રખે મારી પ્રજા મને પણ ઉઠાડી મૂકશે તા! આને તાપ કહેવામાં આવે છે. આ તાપનું કારણ સુખનાં વિયેાગની ચિ’તા છે. કરવેરા નાખીને પૈસા સરકાર લઈ જતી હાવાથી એ ચિંતા આજે ઘણાંઓને લાગુ પડેલી છે.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy