SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ મને વિજ્ઞાન તો ગંજનાગંજ ખડકાવવાના જ છે. પરાળ એ ખેતીનું આનુષગિક ફળ છે, જ્યારે ધાન્ય એ ખેતીનું તાવિક ફળ છે. તે જે જ્ઞાન ગરૂપ તપને લીધે મેક્ષ મળવાને હોય તેને લીધે સંસારનાં સુખરૂપી પરાળનાં તો ગંજ ખડકાવવાના જ છે તો તેની ઈચ્છા શા માટે રાખવી જોઈએ? જે જે હે પાછા આને અર્થ કયાંક એમ નહિ કરતાં કે આ મહારાજે ઠીક કહ્યું કે ઈચ્છા ન રાખે એટલે સુખના ગંજ ખડકાઈ જવાના છે. મોક્ષની ઈચ્છાથી ધર્મ કરે એટલે અભરે ભરાઈ જાય. કયાંક આને ઊંધો અર્થ નહિ લેતા હો? મારે તમને ખૂબ સાચવવા પડે છે. જે કોઈ અર્થ લો એ સવળે લેજે! બજારમાં ચણીયા બોર ખરીદવા કોઈ માણસ એક કરોડ રૂપિયાનું કેહિનૂર લઈને જાય અને કરોડ રૂપિયાનું કેહિનૂર આપીને પાલી ચણીયા બોર ખરીદી આવે એને તમે કે કહેવાના? (સભામાંથી પાગલ) તે ધર્મ એ કેહિનૂર છે અને સંસારના સુખ એ ચણીયા બોર જેવા છે. તે તમે આ સંસારના સુખરૂપી ચણીયા બોર માટે ધર્મ કહીનૂર વેચી નાખતા હે તે અમારે તમને કેવા કહેવા? જેજે હવે બીજાને પાગલ કહેવા તૈયાર થઈ ગયા, પણ જાત ઉપર આવ્યું ત્યાં ચૂપ થઈ ગયા માટે જ્ઞાનગ તરૂપ ધર્મમાં આકાંક્ષા દોષ જે ન હોય તે તે મુક્તિને સાધી આપનારું છે. શ્રી ભરત ચકવત્તિની અત્યંતર જાગૃતિ બીજું પુણ્યના લક્ષણવાળ જે ધર્મ છે તે આશંસા દેલવાળો હોવાથી જીવને ચાર ગતિમાં ફળાવનારો છે. આચાર્યશ્રીએ જણાવ્યું કે પુણ્ય એ સેનાની બેડી છે અને પાપ એ લેઢાની બેડી છે. પણ પારતંત્રના અવિશેષપણાને લીધે બંનેમાં ફળભેદ નથી. પૂ. આચાર્યશ્રીના આ મુદ્દા પર
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy