SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ મને વિજ્ઞાન પિતાના જ પરમાર્થને નાશ કરનારે એ જે શ્રેષ: તેને તમે ત્યાગ કરે અને સર્વ જીવ મારા મિત્ર છે એ રીતના મૈત્રીભાવનું ચિંતન કરે. છેલ્લે મૃત્યુ સમયે કેવા પ્રકારનું ચિંતન કરવું જોઈએ તેને આખો સાર આ ગાથામાં આવી જાય છે. જેવા ભાવમાં જીવ છેલ્લે દેહ છેડે છે તેવા જ ભાવમાં તે ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. આખા જીવનમાં કરેલી સાધનાનું તાત્વિક ફળ એજ છે કે, છેલ્લે લેશ્યા બગડી ન જાય. રાગ અને દ્વેષ અને જીવના પરમાર્થને નાશ કરનારા છે. માટે છેલ્લે પણ તેને ત્યાગ કરી દેવા જોઈએ. રાગ અને ષ જ જીવને ચાર ગતિમાં રખડાવનારા છે. જીવ છેલ્લે શરીર છોડે તે પહેલાં રાગ ને શ્રેષ છૂટી જાય તે જીવને દુર્ગતિના દ્વારમાં દાખલ ન થવું પડે “ધન-વિજ્ઞાન-મિત્રાવાવમત્રા મા થરા न हि प्राणभृतां तानि भवेयुः शरण भवे ॥ “ધીરજને ધારણ કરનારા હે ધીર! ધન, સ્વજન કે મિત્ર આદિ છેલ્લે કેઇ પણ ઉપર રાગને અનુબંબ રાખશે નહિ તેમાંના ખરા સમયે કોઈ શરણરૂપ નથી. સ્વજન આદિને જીવ જે વળગતે જાય છે એ તે બાવળને બાથ ભીડવા જેવું છે. સ્વજન આદિને કલ્યાણને રસ્તે દેરી જવા એ ઘણું ઉત્તમ વાતા છે. તેમજ કુટુંબ અંગેની પિતાની ફરજ બજાવવી પડે તેમાં પણ વધે નથી, પણ તેમાં અપ્રશસ્ત ભાવે રાગ પિષવા જે નથી. તીવ્ર અશાતાના ઉદયકાળે અથવા મૃત્યુના સમયે તેમાંથી કઈ રક્ષણ કરી શકે તેમ નથી. તેવા સમયે તો ધર્મજ જીવનું રક્ષણ કરી શકે છે. ધર્મ પરિણત આત્મા ગમે તેવા અશાતાના ઉદયકાળને પણ સમાધિભાવે વેદી લે છે અને મૃત્યુને પણ મિત્રની જેમ ભેટી શકે છે. માટે નાથ! નિર્ધાર કરે કે ધર્મ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy