SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજના આઠ શિખરો ૨૧૫ ચલિત થયા નથી માટે આ મહામુનિને તે ધન્ય છે અને આપણા સૌ માટે કોડાનકોડ વંદનાને પાત્ર છે. આ રીતે સ્તવના કરતી સુભદ્રા મહામુનિનાં ચરણમાં પડી જાય છે. અને વિનવે છે. પ્રભુ ! આપ તો કરૂણાના સાગર છે. આ અજ્ઞાનજનેએ કરેલાં અપરાધને ક્ષમા કરે ! મુનિ ભગવતે પ્રત્યુત્તરમાં કહ્યુંઃ મુનિઓ કઈ પણ ઉપર કોપ કરતાં જ નથી. કારણ કે કોધ એ તો મહા અનર્થકારી છે. પૂર્વ ક્રેડ વર્ષથી ઉગ્રપણે તપને તપનારે આત્મા માત્ર બે ઘડી ક્રોધને આધીન બને તે તેટલાં વર્ષો સુધીનાં તપનાં ફળને હારી જાય છે. માટે સાધુને કેપ કરો એગ્ય નથી. આ બધા ઉપર યક્ષે કેપ કર્યો છે. માટે યક્ષને પ્રસન્ન કરે ! મુનિ ભગવંતને સૌ કેઈપર પડેલો અજબ પ્રભાવ | મુનિના કહેવાથી બ્રાહ્મણોએ યક્ષને સંતુષ્ટ કર્યો. એટલે સર્વ બ્રાહ્મણો સાજા થઈ ગયા. પછી તેઓ યજ્ઞકાર્ય છેડી દઈને મુનિનાં પગમાં પડયા અને શુદ્ધ અન્નવડે મુનિને પડિલાવ્યા. તે વખતે ત્યાં પંચદિવ્ય પ્રગટ થતાં સૌનૈયાની વૃષ્ટિ થઈ. તે જોઈ સર્વ ત્યાં વિસ્મિત હૃદયવાળાં બની ગયા. અને મુનિનાં તપના પ્રભાવ અંગેની સૌ અનુમોદના કરવા લાગ્યાઃ અરે! આ હરિકેશી ચંડાળના પુત્ર હવા. છતાં તેમને પ્રભાવ કેટલે છે! એમનાં તપના પ્રભાવ અંગેનું આપણને સ્પષ્ટ દર્શન થયું છે. આમાં તો તપની જ વિશેષતા છે ! જાતિ અંગેની કોઈ વિશેષતા આમાં રહી નથી. આ તપસ્વી મુનિનું દેવે સાંનિધ્ય કરે છે. જાતિનું જ વિશેષપણું હોય તે આપણે બ્રાહ્મણ હોવા છતાં દેવતાઓ કેમ સાંનિધ્ય ન કરે ! માટે દુનિયામાં ગુણની જ પૂજા થાય છે. નિર્ગુણને
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy