SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજનાં આઠ શિખરો ૨૦૯ સખીઓ એકદમ ગભરાઈ ગઈ. અમુક રાજ્યના સેવકો પણ સાથે હતા, તેઓ સુભદ્રાને તેના માતા પિતા પાસે પાછી લઈ આવ્યા? પુત્રીની આ દશા જોઈ પુત્રી તરફતા સ્નેહને લીધે રાજા અનેક ધવંતરી વૈદ્યોને બોલાવીને તેના શરીરની ચિકિત્સા કરાવે છે. પરંતુ તેમાં કાંઈ સારી લાગી નહિ. પછી મંત્રવિદ્યાના જાણકાર માંત્રિકને બોલાવવામાં આવ્યા. અનેક પ્રયોગો કરાવવામાં આવ્યા, પણ કંઈ ફેર પડયે નહિ. પછી રાજાની પણ મતિ મુંઝાઈ ગઈ. રાજા વિચારે છે કે હવે આને મૂળ સ્વરૂપમાં લાવવા શું ઉપાય કરવા? આને કેવા પ્રકારના અશુભને ઉદયકાળ જાગે છે? સં તેને સંતાપનારા શાતા કયાંથી પામે? પછી યક્ષે પ્રત્યક્ષ થઈને પરકાયમાં પ્રવેશ કરીને જે ઘટના બની ગયેલી તે અંગેને ઘટફેટ કર્યો અને રાજાને કહ્યું રાજન? આ તમારી પુત્રીએ મહાતપસ્વી એવા મુનિને ઉપહાસ કર્યો છે, હું તે મહામુનિને પરમ ઉપાસક છું મેં જ આ તારી પુત્રીને ગાંડી કરી છે. જેની હું ઉપાસના કરું તેની કોઈ હેલના કરે તે હું કેમ જોઈ શકું? મુનિ ભગવંત પ્રતિ યક્ષને અંતરમાં કેટલો બધો પૂજ્યભાવ છે. નહિ તો આ રાજકન્યા યક્ષની પૂજા કરવા આવેલી હતી. છતાં મુનિનાં ઉપહાસને યક્ષ સહન ન કરી શકે. માનવી અભિમાનમાં આવી જઈને ન કરવાનું કરી બેસે છે. આજે પણ કેટલાક આશાતનાનું પાપ વહેરી લેતાં હોય છે. સામાન્ય માણસની નિંદા એ પણ પાપ છે તે મુનિ ભગવંતની નિંદા કરવીએમહાપાપ છે, એવા પાપકર્મથી કેટલીકવાર કર્મએવા બંધાઈ જાય છે કે જે ભવોભવમાં ૧૪
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy