SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૧૫ પણ આજે સંપુર્ણ જરૂર છે. અને તે માટે ગૃહસ્થોએ દાનની દિશા પણ બદલવી જોઈશે ? જૈન વિદ્યાર્થીઓને પાઠશાળામાં પ્રતિક્રમણના મૂળ સૂત્રે કંઠસ્થ કરાવવામાં આવે છે તેની સાથે સૂત્રોનાં અર્થનું પણ જ્ઞાન આપવું જોઈએ જે કે હમણાં હમણાં અર્થનું જ્ઞાન પણ અપાય છે. છતાં પણ એ પ્રવૃત્તિમાં ઘણી મંદતા છે. તેમાં વેગ લાવવાની જરુર છે. તે માટે પાઠશાળાઓમાં પગારનું ધોરણ ઉંચું રાખીને અભ્યાસી અને અનુભવી શિક્ષકો રોકવા જોઈએ. આજે મોટેભાગે પાઠશાળાઓમાં અઢીસેથી ત્રણ રૂપિયા સુધીનું ધારણ હોય છે. હવે આટલા ટૂંકા પગારમાં સારા શિક્ષકે કયાંથી મળે ! એટલે દાનની દિશા બદલીને પાઠશાળાઓને સદ્ધર બનાવવાની અગત્યની જરૂર છે. જ્ઞાનમાર્ગના ઉદ્ધારમાં કિયા માર્ગને પણ ઉદ્ધાર સમાએલે છે. કિયા માર્ગમાં પણ ભાદરવામાં ભરતી આવે છે અને તે પણ પર્યુષણ પર્વનાં આઠ દિવસ દરમ્યાનમાં ભરતી આવે છે. દરેકની એકજ ફરિયાદ છે કે કિયા કરીએ પણ તેમાં રસ પડતો નથી તેની સામે એટલું જ કહેવાનું છે કે અર્થ સાથેનું જ્ઞાન સંપાદન કરે કિયામાં જરૂર રસ પડશે. કારણ કે જ્યાં રસ હોય ત્યાં મનરીકે છે. જ્ઞાન અને ક્રિયા બનેને સુમેળ એટલે સોનામાં સુગંધ ! વિ૫ માત્રથી સિદ્ધિ નથી આપણે વચમાં કહી ગયા તેમ મનને જીતવાના ઉપાયમાં સ્વાધ્યાય એ શ્રેષ્ઠ ઉપાય છે. સ્વાધ્યાયમાં રત રહેનારે જીવ ઘણાં કર્મોની નિજ સાધે છે મનને જ્યાં ત્યાં જમાડવા કરતાં સ્વાધ્યાયમાં રકત બનાવવું શું ખોટું છે? જીવ મનથી વિકલ્પ ગમે તેટલા કર્યા કરે પણ તેટલા માત્રથી સિદ્ધિ નથી. પૂ. ધર્મદાસગણી ઉપદેશમાળામાં સ્પષ્ટતયા ફરમાવે છે કે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy