SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મને વિજ્ઞાન = કામ ક્રોધ મદ ભકી જબ લગ ઘટમેં ખાણ” “તબ લગ પંડિત મૂર્ખ હી કબીર એક સમાન” માનવીનું મન જ્યાં સુધી કામ, ક્રોધ, મદ, લોભ વગેરે દોષોની ખાણરુપ છે, ત્યાં સુધી ભલે પંડિત હોય કે મૂર્ખ હોય અને એક સમાન છે અભણ કે ભણેલાં વચ્ચે ત્યાં સુધી તત્વદ્રષ્ટિએ કોઈ અંતર નથી –દાખલા તરીકે ભણેલાને સન્નિપાત ઊપડયો હોય અને અભણને પણ સન્નિપાત ઊપડે હોય ત્યારે બન્નેને બબડાટ સરખો જ હોય છે. કદાચ ફેર પડે તે એટલાં પૂરતો પડે કે એક અંગ્રેજીમાં બબડે અને બીજે તેની ચાલુ માતૃભાષામાં બબડાટ કરે. બસ અંતર પડે તો આટલા પૂરતો પડે તેવી જ રીતે મૂર્ખ કે પંડિત કામ ક્રોધાદિને આધીન હોય તો સમજવું કે તાવિક દષ્ટિએ બન્ને વચ્ચે અંતર નથી, અજ્ઞાની વાતવાતમાં કેપ કરે તેમ જ્ઞાની પણ કરે તે સમા જવું કે કહેવાતા જ્ઞાનીએ એકલો જ્ઞાનને ભાર મગજ ઉપર ઉપાડે છે, પણ તેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું નથી, મૂર્ખ મનુષ્ય કામક્રોધાદિને આધીન બને તો તે બિચારે દયાને પાત્ર છે. કારણ કે તેને તે તે દોષ અંગેના અનર્થની સમજણ નથી, પણ કહેવાતા જ્ઞાનીને તો તેની સમજણ હોય છે. આમ છતાં દોષને આધીન અને તે સમજવું કે તેનાં જ્ઞાનની વિડંબના છે. દોષમાંથી જન્મતા અનર્થો અંગેની જીવે વિચારણા જ કરી નથી. કોધ, માન, માયા અને લેભ આ ચારેચાર અત્યંતર દોષો છે. તેમાંથી જન્મતા અનર્થોની ઊંડાણથી ચિંત વના કરવી એ પણ ધર્મધ્યાનનાં ચાર પ્રકાર પૈકીનું અપાય. વિચય નામે ધર્મધ્યાન છે. અતિદુર્જય એવા ક્રોધ, માન, માયા અને લેભ વડે પરાભવને પામેલા આત્માઓ જે જે અનર્થને
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy