SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ], રસાધિરાજ ક્યાં શાશ્વત્ વસ્તુ છે ? આત્મા અને આત્માના ગુણો શાશ્વત્ છે. પુન્ય તે વખત આવે ભલભલાનાં પરવારી બેસે છે. જ્યાં દોમદોમ સાહ્યબી હોય ત્યાં પુન્ય પરવારે ત્યારે દરિદ્રતા એવી આવી જાય છે કે, ક્યારેક ભીખ માંગવાને વખત આવી જાય છે. પુન્યાનુબંધી પુન્ય મોક્ષમાર્ગમાં સહાયરૂપ છે. બાકી પુન્યના ભરોસે રહેવા જેવું નથી. પુન્ય શુભકર્મ છે, તે પાપ અશુભકર્મ છે. જ્યારે આત્મા. શુભ-અશુભ બને કર્મ–પ્રકૃતિએને ખપાવીને મેક્ષે જાય છે. પુન્ય-પાપ ઉભયના ક્ષયથી જીવને મેશ થાય છે. પુન્યાનુબંધી પુન્ય મેક્ષમાર્ગમાં વેળાવા રૂપ છે. આત્મા તેના ધારેલા સ્થાને પહોંચે ત્યાં વેળા એની મેળે છુટી. જાય છે. પુન્યાનુબંધી પુન્યને ઉદય કાળમાં તે જીવને સંસારિક સુખમાં પણ ઉત્કૃષ્ટ વૈરાગ્ય વર્તતું હોય છે. તેવા પુદયવાળા આ કાળમાં વિરલા છે. જેની અંદરની આકાંક્ષાઓ અને નબળી ઈચ્છાઓ જોતાં લાગે છે કે, આ કાળમાં જ મેટે ભાગે પાપાનુબંધી પુન્યના ઉદયવાળા છે. પુણ્ય–પાપની ચૌભંગી : પાપાનુબંધી પુન્યના ઉદયે જીવ ક્યારેક સંપત્તિ અને અને સત્તાના શિખર ઉપર આરૂઢ થઈ જાય છે, પણ ફરી પાછો જ્યારે પતનને પામે છે ત્યારે તળેટીમાં ઉભા રહેવા સ્થાન મળતું નથી. જીવ પુન્ય ભેગવતે હોય અને પુદયના કાળમાં ધર્મના શુભ કાર્યો કરતે હોય, જીવ માત્રના હિતમાં પ્રવતો હોય, પરહિત ચિંતા એ જેનાં જીવનને ઇવ કાંટો બની ગયેલ હોય તેને પુન્યાનુબંધી પુન્ય
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy