SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ એ મારા દુશ્મને છે અને એ દુશ્મને જ ભવભવથી મારૂં બગાડતાં આવ્યા છે. બહારનાએ મારૂં કાંઈ બગાડ્યું નથી, બહારના તે નિમિત્ત માત્ર છે. આ સ્વરૂપે મૈત્રી ભાવના ભાવતા આંતરિક આનંદ એ અનુભવી શકાય છે કે જેને અપૂર્વ આનંદ કહી શકાય. માનસિક સંતેષ અને માનસિક સમાધાન જે દુનિયામાં બીજે કઈ આનંદ નથી. મૈત્રીનું મૂર્તિમંત સ્વરૂપ જગતમાં પરિભ્રમણ કરતાં અનંતાનંત આત્માઓ છે તેમાંથી કઈ પણ પાપ ન આચરે કોઈ દુઃખી ન થાઓ. સૌ. સુખી થાઓ. સૌ કોઈ મુક્તિ સુખને પામે આવી અંદરની નિર્મલ ભાવનાને મૈત્રીભાવ કહેવામાં આવે છે. પાપ આચરીને જ જીવ દુઃખી થાય છે, એટલે મૈત્રી ભાવનામાં પહેલી જ ભાવના એ ભાવવાની છે કે કેઈ પાપ ન કરે, અને પછીજ કઈ દુઃખી ન થાઓ એ સ્વરૂપે મૈત્રી ભાવના ભાવવાની છે, તેનું હાર્દ એ છે કે પાપ ન આચરે એટલે કેઈ દુઃખી થવાના જ નથી. આપણે આત્માને પણ પાપને રસ્તેથી પાછા ન હઠાવીએ ત્યાં સુધી આપણે પોતાના પણ મિત્ર બન્યા નથી. મૈત્રી ભાવનાનું આ ઉંડામા ઊડું રહસ્ય છે. આપણું કુટુંબીઓને અને આપણું સમાગમમાં આવતાં દરેકને ધર્મ સજાવીને પાપને રસ્તેથી પાછા વાળવા એજ મેન્દ્રીભાવનું મૂર્તિમંત સ્વરૂપ છે. આપણે પ્રયાસ કરવા છતાં કઈ પાપનાં રસ્તેથી પાછા ન જ વળે તે આપણે નિરાશા લાવવાની જરૂર નથી, અને ર
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy