SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ આવી અનુપમ દ્રષ્ટિ જે કેળવાઈ જાય તે ઘણાં આત્માઓ આરાધનાનાં વાસ્તવિક ફળને પામી જાય. ઉપશમભાવ ઉપર આપણે ખૂબ લંબાણથી વિવેચન કર્યું. ઉપશમ કે શાન્તરસ એ એકની એક વસ્તુ છે. પક્ષ અને પ્રત્યક્ષ જીવનમાં રસની જ જમાવટ કરવી છે તે શાન્તરસની કરે, પછી તે જીવનમાં અહિંજ સ્વર્ગ ખડું થઈ જશે અને જીવનમાં તમને અનુપમ સુખને અનુભવ થશે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવે છે કે, स्वर्गसुखानि परोक्षाण्यत्यन्त परोक्षमेव मोक्ष सुखम । प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्यय प्राप्तम् ।। આ દશ પૂર્વધરની દેશના છે, જેને અમેઘ દેશના કહી શકાય. પ્રશમરતિ શાસ્ત્રમાં ભગવાન ઉમાસ્વાતિએ વાણીને રસ એ રેલાવ્યું છે કે જેનાં શબ્દ શબ્દમાંથી શાન્તરસ નીતરી રહ્યો છે. હમણાંજ આપણે જે ગાથા ઉચ્ચારી. ગયા તેમાં પૂજ્યશ્રીએ અદ્દભૂત વાત કરી છે કે, સ્વર્ગનાં સુખ પક્ષ છે અને મેક્ષનાં સુખ તે વળી અત્યંત પક્ષ. છે, એટલે કે શાનાં સ્વાધ્યાય અને શ્રવણપરથી એ સુખનું સ્વરૂપ યત્કિંચિત આપણે સમજી શકીએ છીએ અને તે ઉપર આપણ શ્રદ્ધા પણ પાકે પાયે છે પણ એ સુખને અત્યારે આપણે અહિ મૃત્યુલેકમાં અનુભવી શક્તા નથી એટલે એ સુખો આપણું માટે પરોક્ષ છે, પ્રશમસુખ એ છે. અત્યારે પણ આપણાં માટે પ્રત્યક્ષ છે અને એ સુખ આપણે અનુભવવું હોય તે આપણે અનુભવી પણ શકીએ, કારણ કે,
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy