SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઘનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૮ ભદ્રની માતા ભદ્રા શેઠાણીએ સોળે કંબલે એકી સાથે ખરીદી લીધી. રાજન્ ! હવે આપ જ વિચારે? આવા વિશાળ સામ્રાજ્યના આપ માલિક હોવા છતાં એક પિતાની પટરાણીની ઈચ્છા પૂરી કરી શક્યા નહીં તે પછી આવડા મોટા રાજ્ય અને સામ્રાજ્યને અર્થ શ છે. મૈત્યાદિ ભાવનાની આજે દુનિયા જ ક્યાં રહી છે રાજા શ્રેણિક પ્રત્યુત્તરમાં કહે છે કે, સુણે ચેલણ રાણી! આ વાત મેં પણ કર્ણોપકર્ણથી જાણી લીધી છે અને મને પિતાને એ વાત જાણ્યા પછી મનમાં અચંબે એ થયે છે કે હજી મનમાં તે અંગેને અપિ રહ્યા કરે છે. જ્યાં સુધી એ પુણ્યશાળીને હું દર્શન નહીં કરું ત્યાં સુધી આ મારા મનને અજંપ નહીં મટે અને હદયમાં આનંદ પણ સમાતું નથી કે મારી આ મહાન નગરીમાં આવા સુખી શ્રીમતે વસે છે! શ્રેણિક રાજાને જાણે રેમરોમમાં આનંદ છવાઈ ગયે. તે કાળના રાજાઓ આવી પ્રમદ ભાવનાવાળા હતા. પ્રજાનું સુખ જોઈને મનમાં રાજી થનારા હતા. જ્યારે આ કાળનાં સત્તાધીશે તે આવે કઈ વૈભવશાળી તેમના ધ્યાનમાં આવી જાય તે બીજે જ દિવસ તેને ત્યાં રેડ પડાવ્યા વિના ન રહે. આજે મૈત્રી, પ્રમોદ કે કારુણ્ય. ભાવનાની દુનિયા જ કયાં રહી છે. આજે તો ભાવનાની જગ્યાએ ચીમેર ભવાઈદેખાય છે અને માનવીનાં જીવનમાં સવળાઈનાં દર્શન પણ દુર્લભ થઈ પડયા છે. અવળાઈ અને આડેડાઈ કરવામાં માનવી પોતાની કુશળતા માને છે. આવી સ્થિતિમાં માનવીના જીવનમાં શુદ્ધ ભાવનાના દર્શન થાય કયાંથી ?
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy