SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ વિહીન નર દહનું નિરૂપયેગીપણું [ ૩૪૦ હોય તે દિવસે તેઓ શ્રાવિકા બહેનની ભક્તિનું લાભ લેતા. દરરોજના ફક્ત સાડાબાર દેકડા મેળવનાર પણ આ રીતે લાભ લઈ શકતા ત્યારે આજે સાડાબાર રેકડા મેળવનાર પણ લાભ તે નથી લેતા પણ ઉલટા દડા રેતા હોય છે. આજે સાધર્મિક ભક્તિ તે તમને સાંભરતી જ નથી. પુણિયા શ્રાવક પિતાની ઘણીજ અલ્પશક્તિ હોવા છતાં લાભ અપૂર્વ લેતાં, જ્યારે તમારે તે પૃદય પણ ખૂબ જાગતે છે તે આવી સોનેરી તક શા માટે તમારે જતી કરવી જોઈએ? સમય એવો ખરાબ આવી રહ્યો છે કે ઉદારતાથી દાન કરશે તેજ ખાટી જશે. મમ્મણ શેઠ કે જેમને ત્યાં કઈ દિવસ સાધુ-મહાત્માના પગલા જ નહોતા થયા છે તેમાં તેઓ શું ખાટી ગયા? તે મમ્મણ શેઠ પાસે અઢળક ત્રાદ્ધિ હતી છતાં તેઓ સાતમી. નરકે ગયા, જ્યારે પુણિયા શ્રાવક પાસે ભલે લક્ષ્મી ન હતી. પણ તેની પાસે શાશ્વત ધન હતું અને સુકૃત કરીને તે ઉંચામાં ઉંચા દેવલેકે ગયા છે. તમારું જીવન તે પુણિયા શ્રાવક જેવું છે કે પછી મમ્મણ શેઠ જેવું ? મહીને એકાદ વખત તે તમારે ત્યાં સાધર્મિક ભક્તિ થતી જ હશે એમ જ માનું ને? (સભામાંથી માનવા જેવું નથી, તે મમ્મણ શેઠ અને પુણિયા શ્રાવક આ - બન્નેમાંથી તમારે કોને આદર્શ જીવનમાં અપનાવે છે? : - ધર્મની રક્ષા માટે પૂર્વ કાળના : ઘણુ મહાપુરૂષોએ પિતાના પ્રાણ પણ અર્પણ કરી દીધા છે. ભેગ આપ્યા વિના સિદ્ધિ સંભવતી નથી. સામાન્ય સ્વરાજ્ય મેળવવાની પછવાડે
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy