SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ ] રસાધિરાજ જીવને એમ જ થાય કે મારા આત્માને જે કાંઈ અનિષ્ટ હાય તે મારે બીજા પ્રતિ નહિ જ આચરવુ' જોઇએ. કારણ કે જેવા મારા આત્મા છે તેવા જ બીજાનેા છે. હિંસા, જૂઠ, ચૌય કમ, વિશ્વાસઘાતાદિ મને ઈષ્ટ નથી, તે તેવા પાપ હું ખીજા પ્રતિ કેમ આચરી શકું? વ્યાપાર-વાણિજ્યમાં મારી સાથે કોઈ દગા કરે અથવા મને કોઈ છેતરે તે મને અનિષ્ટ છે, તા તેવા વર્તાવ મારાથી ખીજા પ્રતિ પણ ન જ થઈ શકે ! દરેક આત્માઓને સ્વ આત્મા સમાન જાણ્યા પછી તે જીવનની આખી દિશા બદલાઈ જાય છે. ધાર્મિક અને દાંભિક જીવન વચ્ચેનું અંતર પછી તેા જીવનમાં ખાહ્ય અને અભ્ય તરવ્યવહારમાં સમાનરૂપતા આવી જાય છે. બહારમાં કઇ ને ભીતરમાં કઈ ! તેવા વિસ’વાદ જીવનમાં રહેતા નથી. જ્યારે આજે દેખાડવાના ખુદા ને ચાવવાના જુદા, એ શબ્દના પ્રયાગ ખૂબ થયા કરતે હાય છે! મનુષ્યાની કથની અને કરણીમાં જ્યારે ઘણુજ અંતર દેખાય ત્યારે સમજવુ કે જીવનમાં ધર્મને બદલે એકલા દંભ પોષાઈ રહ્યો છે, વાણી, વર્તન અને વિચારમાં એકાકારતા એ જ સાચી ધાર્મિકતા છે, અને એ ત્રણેમાં ભિન્નતા એ ધાર્મિકતા નહી નરી દાંભિકતા છે. વાણી, વન ને વિચાર એ ત્રણેમાં એકાકારતા એ તા. ધાર્મિક જીવનની પુર બહાર કહી શકાય. જ્યારે ત્રણેમાં ભિન્નતા એ દાંભિક જીવનની પુર અહાર કહેવાય. આજે માનવી એલે છે કઈ ને કરે છે કઇ, માનવી જેને ઉપરથી સલામ ભરતા હેાય તેનું જ પાછુ મનથી ખુરૂ ચિતવ હાય છે. કયાં રહી આમાં વાણી, વતન ને વિચારની એકાકારતા ૨૦
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy