SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રા કણ ? [ ૨૮૦ આ ગાથામાં પૂ. હરિભદ્રસુરીએ જાણે તત્વ જ્ઞાનનાં અખૂટ ભડાર ખુલ્લાં મૂકી દીધા છે. તત્વનાં સ્વરૂપને સમજ્યા પછી મન તેમાં સ્થિર થઈ જાય છે. અસ્થિરમાં સ્થિરતા કયાંથી આવી શકે ? આપણે હમણાંજ વચમાં કહી ગયા કે, બહારનાં ભાવા સમિતીને ગંધ નગર તૂલ્ય અથવા મૃગજળ સમાન ભાસે છે તે પછી મુમુક્ષુને ઠરવાનું કયાં રહયું? મનને અધેથી હઠાવીને કયાંકતા સ્થિર કરવું પડશેને? માટેજ જ્ઞાનીઓએ મૂળ તત્ત્વની વ્યાખ્યા ફરમાવી છે, તત્ત્વ સમજાય એટલે મનમાં સ્થિરતા આવીજ જાય છે. આત્મા સિવાયનાં જગતનાં બધા પદાર્થો અવને અશાશ્વત્ છે જ્યાં એ પદાર્થી પોતેજ સ્વરૂપથી અસ્થિર છે તે પછી તેમાં ભમતુ મન કયાંથી સ્થિરતા પામી શકે? કઇ સ્થિર તત્ત્વમાં મનની એકાગ્રતા થાય તેા જ મનની સ્થિરતા થવાની છે. પૂ. હરિભદ્રસૂરીએ અભ્યતર જ્યેાતિની જે વ્યાખ્યા ફરમાવી છે તે જ સ્થિરતાવાળુ તત્ત્વ છે. તેમાં જો મનની સ્થિરતા થઈ જાય તે જ્યાતમાં ન્યાત મળ્યા જેવું થઈ જાય. આત્મા એજ સ્થિર તત્ત્વ છે. આત્માત્ર શાશ્વત અને અચલ છે. પર્યાયથી આત્મા પલ્ટાતા હોવા છતાં પેાતાનાં સ્વરૂપથી શાશ્વત્ છે. બૌદ્ધ દનની જેમ જૈનીઝમે આત્માને એકાંતે અનિત્ય માન્ય નથી. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ધ્રુવ-શાશ્વત્ અને અચલ છે. આ શાન્ધાત્ તત્ત્વનાં ખીલે જો મનને ખાંધી દેવામાં આવે તે મનની બધી દેોડધામ મટી જાય, મનની દોડધામ મટે એટલે સ'સારના રખડપાટને એ અંત આવી જાય
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy