SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ એ વ્યાધીનું મૂળ છે. જ્યારે લેભ એ બધાં પાપનું મૂળ છે. જ્યારે સંતેષ એ બધા સુખનું મૂળ છે. આજે મામસે કહે છે કે શું કરીએ–પેટ માટે પાપ કરવા પડે છે. પણ પેટ તે માંગી માંગીને કેટલું માંગે ? (સભામાંથી–પાશેર માંગે) અરે શરીર બહુ શક્તિશાળી હોય તે વધુમાં વધુ પશેર માગે ! એથી તો વધારે નહિ માંગે ને? ત્યારે કહે મન કેટલું માગે છે. આખા ભારતનું રાજ્ય મળે તેથે મનની ભૂખ ન ભાંગે. તરતજ ચીન ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થાય આ રીતે આશા અને તૃષ્ણને કેઈ અંત જ નથી, માટે સાચુ સુખ જ સંતોષમાં છે. ત્રીજો રસ્તે એ છે કે દરેકના જીવનમાંથી ગુણ લેતાં શીખવું જોઈએ. દેવદ્રષ્ટિ ન જોઈએ, “દરેકમાંથી સારું મેળવવું તેનું નામ ગુણદ્રષ્ટિ છે” તમે કહેશે કે આમાં કયાં સુખને રસ્તે છે પણ ખરો ઘેરી રસ્તો જ આ છે આજે બીજાના સુખે દુઃખી થનારા જગતમાં ઓછા નથી. એવા માણસને તો આજે રાફડો ફાટી નીકળે છે એમ કહીએ તો પણ ચાલે, અરે, બીજાના સુખ જોઈને એવા બળે એવા બળે કે જતે દહાડે ટી. બી. લાગુ પડે. આજે બીજાના સારા મકાન અને વૈભવ જોતાં પણ ઘણાંને ઈર્ષ્યા થાય છે. એટલા માટે તો ઘણું મુત્સદી માણસો પોતાની પાસે મૂડી હોવા છતાં ગામડાં ગામમાં રહેતા હોય તો સારા મકાન પણ ચણવતા નથી, એને એમ થાય છે કે જ્યાં લેકેની આંખે ચડવું, બીજાના સુખ જોતાં આપણાં મનમાં પ્રમોદ કે જોઈએ, દરેકના જીવનની આબાદી જેઈને હરખાવું જોઈએ. અને તેમાં જ -આપણી પણ માબાદી છે, નહિ તે બરબાદી તો છે જ.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy