SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ] રસાધિરાજ સિદ્ધાયતનમાં તીર્થકર ભગવતેની સમાન ઉંચાઈવાળી ૧૦૮ જિનેશ્વર ભગવાનની શાશ્વતિ પ્રતિમાઓ છે. ताओ णं देवाणुप्पियाण अन्नेसिं च बहुणं वेमाणियाणं देवाणं य देवीणं य अच्चणिज्जाओ वंदणिज्जाओ णमंसणिज्जाओ पूयणिज्जाओ पूवि सेयं अच्छा सेयं हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्तए भविस्सइ ॥ (આ પાઠો રાયપણી સૂત્રમાં આવે છે) તે પ્રતિમાઓની પૂજા અને અર્ચના એકલા તમારા માટે જ નહીં, પણ વૈમાનિક દેવકના દરેક દેવ-દેવીઓ માટે પૂર્વ અને પછી, એટલે ચાલુ વર્તમાન કાળ અને ભાવિ કાળ માટે અત્યંત હિતકારક અને સુખકારક થશે, એટલું જ નહીં આખર મેક્ષને આપનાર થશે. પૂર્વ અને પચ્છા શબ્દથી સમ્યગદ્રષ્ટિદેવની પ્રતિમા પૂજન એ નિત્ય શુભ કરણ કહી છે. જીત આચાર પુરતે જ દેવેને જિન પ્રતિમા સાથેનો સંબંધ હોય છે, તેવી પ્રરૂપણું કરવી તે આવા શાસ્ત્રોના મૌલિક પાઠોને ઉત્થાપવા જેવું છે. पूट्विसेयं पच्छासेयं हियाए सुहाए સૂત્રના મૂળ પાઠમાં આવતા આ શબ્દો આપણું ધ્યાન ખેંચે તેવા છે, તેવી શુભ કરણી મનુષ્ય માટે પણ અત્યંત હિતકારક અને સુખકારક હોય છે. કંઈ દેવનાં અને મનુષ્યનાં સમક્તિમાં અંતર હોતુ નથી. માટે તેવી શુભ કરણી સમ્યગદ્રષ્ટિ મનુષ્યએ પણ અહર્નિશ કરવાની હોય છે. જ્ઞાતા સૂત્રના અધિકાર મુજબ દ્રૌપદીએ પણ જિન પ્રતિમા પૂજી છે. ત્યાં જિણપડિમાણે એ શબ્દનો અર્થ
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy