SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ] રસાધિરાજ ઈચછાઓ પરિપૂર્ણ થતી નથી અને આ મારા પતિ ઘરમાં છે ત્યાં સુધી હું કઈ પરપુરૂષ સાથે પણ વ્યવહાર કરી શકું નહીં ! માટે કઈ રસ્તે એ કરું કે આ કાંટો વચમાંથી નીકળી જાય! સૂરિકાન્તા રણની આ વિચારણામાં સંસારને આબેહુબ ચિતાર આવી જાય છે. સ્વાર્થ હોય ત્યાં સુધી સૌ કોઈ સ્નેહ દાખવે છે અને જુએ છે કે હવે આમનાથી સ્વાર્થ રહ્યો નથી ત્યાં સ્નેહ દાખવનારા જ ક્ષણવારમાં છેહ આપી દે છે. જ્યાં સ્વાર્થની જ વાત હોય ત્યાં સનેહની સરિતા સૂકાતા વાર કેટલી લાગે? અને હૃદયને જે નિર્મળ ધર્મ નેહ હોય તો નેહની સરિતા ખળખળ કરતી વહેતી જ રહે છે. પ્રદેશી રાજા ધર્મને રસ્તે ચડ્યા એટલે બધા કુટુંબી એની તદ્દન ઉપેક્ષા જ કરતાં હતા તેવી કોઈ વાત હતી જ નહી. પિતાની ફરજ પતે બરાબર બજાવતા હતા, પણ હવે તે પિતાના આત્માની માથે આઠ કર્મને બહુ કરજ ચડાવવાને તૈયાર ન હતા. પોતે મહાવ્રતધારી બન્યા ન હતા, અણુવ્રતધારી બન્યા છે. છતાં સ્વદારામાં પણ પુરેપુરા સંતોષી બની ગયા. છે. હવે આસક્તિપૂર્વક સંસાર ભેગવવાની તેમનાં જીવનમાં કઈ વાત રહી ન હતી, કારણ કે તેમનાં જીવનમાં અજ્ઞાનની રાત હવે વિતી જવા આવી હતી. પૂર્વે તેમનામાં જે વિષયમાં અત્યંત આસક્તિ હતી, અંદરના ભાવોમાં જે અત્યંત ક્રૂરતાં હતી તે બધા દોષે તેમનાં જીવનમાંથી સર્વથા નાબુદ થઈ ગયા છે. બાકી ધર્મ પામ્યા એટલે તેઓ માનવતાથી પરવારી બેઠા હતા તેવી કે તેમનાં જીવનમાં વાત ન હતી. બાકી સૂરિકાન્તા રાણી તે અત્યંત વિષય લંપટ હતી. દેશથી પણ સંયમ રાખવાની વાત તેને પસંદ હતી નહીં ! એકદમ છૂટથી
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy