SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ] રસાધિરાજ ત્યારબાદ મારી નંખાવીને તેલ કે, પ્રભુ ! છતાં તેને વજનમાં કંઈ ફેર પડે નહીં ! વધ કરાવ્યા બાદ તેને શરીરમાંથી જીવ તે નીકળી ગયે, તે પછી તેના વજનમાં ડેક તે ફેર પડે જોઈએ. છતાં વજનમાં જરાએ ફેર પડે નહીં. માટે હું એવા નિર્ણયપર આવ્યો છું કે, શરીર જ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા નથી, માટે જીવવું ત્યાં સુધી સુખપૂર્વક જીવવું અને માથે કરજ કરીને પણ ઘીકેળાં ઉડાવવાં ! શરીર અહીં બળીને ભસ્મીભૂત થયા પછી ભવાંતરમાં વળી કેને જન્મ લેવાપણું છે ? આત્મા જ નથી તે પછી પાપથીએ ડરવાની શી જરૂર છે ? રાજન ! ચામડાંની મશકમાં હવા ભરીને તેલ કરવામાં આવે અને ત્યારબાદ હવા બહાર કાઢીને તેલ. કરવામાં આવે, રાજન; તેનાં વજનમાં કઈ ફેર પડશે ખરો? પ્રભુ, તેમાં ફેર નહીં પડે. તે પછી શરીરમાંથી આત્મા. નીકળી ગયા પછી કદાચ વજનમાં ફેર ન પડે તેટલાથી કંઈ આત્માની હસ્તિ મટી જતી નથી! પવન કરતાં પણ આત્મા તે અતિ સૂક્ષ્મ વસ્તુ છે, એટલુ જ નહીં આત્માને સ્વભાવ તે અગુરુલઘુ છે. આત્મા નથી ભારે કે નથી. હલકે, તે પછી વજનમાં ફરક ક્યાંથી પડે ? આટલાં સસ્પષ્ટિકરણ પછી શરીરથી ભિન્ન એમા વિષેની'તને હવે દ્રઢ. પ્રતિતિ થઈ જવી જોઈએ. પ્રભુ, હજી મારી કેટલીક મૂંઝવણ છે, તેનું પણ આપ નિરાકરણ કરી આપે એટલે પ્રતિતિ. થવામાં કઈ બાધા નહીં ઉભી થાય !
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy