SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ધન–મુક્તિ [ ૨૨૮ જંગલમાં બનેલી આ અપૂર્વ ઘટના જોઈને લાકડા કાપવા આવેલા કઠિયારા આશ્ચય ચકીત બની જાય છે, અને શ'ખરાજાને વધામણી આપવા ઉજ્જૈની નગરી ભણી દોડતા દોડતા જઈ રહ્યા છે. આ બાજુ રાજ્યના મત્રીએ કલાવતીની શેાધ માટે મહિનાની મુદ્દત માંગેલી હતી. એટલે મંત્રી શેાધ કરવા માટે નગરીની બહાર નીકળ્યા કે સામેથી કઠિયારા . મળ્યા. કલાવતીની સઘળી વિગત સાંભળીને સૌને આન ંદના પાર ન રહ્યો, કઠિયારાને રાજાની સમીપે લઈ ગયા, રાજાને. બધી વાત કરી, એટલે રાજાને પણ આનંદના પાર ન રહ્યો. કઠિયારાને રાજાએ આખી જિંઢગીનુ દાળદર ફીટી જાય એટલુ ધન આપ્યુ. રાણીના ક્ષેમકુશળના, પુત્ર જન્મના અને શીયળ ધર્મના પ્રભાવના બધા સમાચાર ભેગા મળ્યા એટલે રાજાને તેા આનંદની અવિધ થઈ ગઈ ! રાજા પોતે. ચિત્તામાં પ્રવેશ કરવાના હતા, તેમાંથી પણ રાજા ઉગરી ગયા. પછી તે રાજા મ’ત્રીઓની સાથે જ'ગલમાં પહેાંચી ગયા અને મેટી ધામધૂમથી રાણીને નગરમાં પ્રવેશ કરાવે છે. આખા નગરમાં ઉત્સવના રંગ વધામણા જેવું વાતાવરણ : સર્જાતા જય જયકાર વતી જાય છે. દુનિયાને એકવાર ભાન. થઈ જાય છે કે ધર્મના કેવા અપૂર્વ પ્રભાવ છે. પછી તે રાજા-રાણી ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યા બાદ એકવાર વનમાં ક્રીડા કરવા નિમિત્તે ગયા છે અને ત્યાં વનમાં તેમને ધર્મ ધુરધર એવા સાધુના દશનના લાભ મળી જાય છે. સાધુ મહારાજ, રાજા-રાણી બન્નેને ધમ દેશના
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy