SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનમુક્તિ [ ૨૧૮ કિયા બનેને જીવનમાં સુમેળ સાધે છે. તે જ મનુષ્ય કર્મોના બંધનમાંથી છુટકારો પામે છે. અર્થાત્ તેનાજ બંધન તુટે છે. આનું નામ જ “બંધન-મુક્તિ” દ્રષ્ટાંત વચમાં કહી ગયા તેમ બંધનમાં રહેવા કેણ છે? રત્નજડીત સુવર્ણના પાંજરામાં પુરાએલે પોપટ પણ તેમાંથી છુટવાને ઈચ્છે છે. પાંજરામાં તેને ગમે તેવું દાડમ વગેરેનું ઉંચામાં ઉંચુ ખોરાક આપવામાં આવે છતાં તે બંધનમાંથી મુક્તિને ઈચ્છે છે. સતી સ્ત્રીઓમાં જેનું ખૂબ જ પ્રખ્યાત નામ છે. એવી સતી કલાવતી ભવાંતરમાં રાજકુમારી સુચના હતી. તે મહાવિદેહ ક્ષેત્રમાં મહેન્દ્રપુરી નગરીના રાજા વિકમની પુત્રી હતી. વિદેશમાંથી આવેલે કઈ મનુષ્ય એક સુંદર પિપટ રાજાને ભેટમાં આપે છે. તે પોપટ એવા સુંદર વચન ઉચ્ચારે છે કે અંતે-ઉરમાં બધાને તેની તરફ અત્યંત પ્રીતિ બંધાઈ જાય છે. તેમાં રાજકુમારી સુચના તે તેનાથી એક ક્ષણ પણ વિખુટી પડતી નથી. સુવર્ણન પિંજરામાં તેને પુરીને આખો દિવસ તેની તહેનાતમાં રાજકુમારી ખડે પગે ઉભી રહે છે. પાંજરામાં તેને ખાવા માટેના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો પુરા પાડે છે. અને પોપટ જ્યારે વાણી ઉચ્ચારે છે ત્યારે તે સુચના જાણે તેની વાણી પર મુગ્ધ બની જાય છે. મેરલી વાગે ને નાગ ડેલે તેમ તે સૂડાને વચન સાંભળીને સુચના ડેલી ઉઠે છે. આવી સુખ સાહ્યબીમાં રહેવા છતાં પોપટને બંધનમાં રહેવું ગમતું નથી. તે સૂવર્ણના પિંજરાને પણ પોતાના માટે બંધન રૂપ લેખે છે. તેની અંતરની એકની એક મનોકામના
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy