SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ] રાધિરાજ બીજાઓને ખપાવવા માટે રસ્તે જરૂર બતાવ્યું છે, પણ બીજા કોઈના કર્મો તેઓ અનંત શક્તિના ધણી હેવા છતાં પણ ખપાવી શકતા નથી. તે તે તેમણે કહેલા રસ્તે ચાલીને જીવને પિતાને જ ખપાવવાના રહેશે. જીવ ધારે તે અપર્વતનાદિકરણ શક્તિના બળે તદ્દન અલ્પકાળમાં પણ ખપાવી શકે છે. જીવના અધ્યવસાયમાં પ્રચંડ તાકાત રહેલી છે જીવ જે સવળ પડે તે કાચી બે ઘડીમાં ઘાતિ કર્મોના ભુક્કા બોલાવવાની તાકાત જીવમાં રહેલી છે. માટે બીજા કેઈ પારકાના મેઢા સામું જોવાથી મોક્ષ થવાને નથી. જીવને મોક્ષ જીવના પિતાના પુરૂષાર્થથી જ થશે. માર્ગ બતાવનારને પણ મહાન ઉપકાર મિક્ષને રસ્તો બતાવનારા અથવા ધર્મતીર્થ પ્રવર્તાવનારા દેવાધિદેવ તીર્થકર ભગવંતેને પણ આપણી પર કે જગત આખા પર જે તે ઉપકાર નથી. મેક્ષ માગ પ્રવર્તાવનારા હોવાથી તેઓ અનંત ઉપકારી છે, અને આખા વિશ્વ પર તેમને અનંત ઉપકાર છે. રસ્તા ન મળે તે ઝડપથી ચાલનારે મનુષ્ય પણ કયાંથી ધારેલા સ્થાને પહોંચી શકવાનો છે. માટે મોક્ષ ભલે આપણું પિતાના પ્રયત્નથી થવાનું છે. પણ તેમાં ધર્મતીર્થને પ્રવર્તાવનારા દેવાધિદેવ તીર્થકરોને પણ આપણી પર ઘણો મહાન ઉપકાર છે. તેમણે સંવર અને નિર્જરાને માર્ગ ન બતાવ્યું હોત તે ગમે તેટલે પ્રયત્ન કરવા છતાં આપણે રખડી જ જવાના હતા. ભુલા પડેલાને કેઈએ રસ્તે બતાવ્યું હોય ને તે પિતાને સ્થાને પહોંચી ગયો છતાં તેનામાં જે ડી પણ લાયકાત હોય તે રસ્તે બતાવનારને. તે અંદગીભર ભૂલે કેમ ? રસ્તે બતાવનારને તેને કયારેક ભેટો થઈ જાય તે તે. એમ પણ કહે કે, તે જ-મને ઠેકાણે
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy