SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ] રસાધિરાજ છે. વચમાં વળી બીજા ભવ તે કેટલાએ કરવા પડ્યા છે. રસ્તે ચડ્યા પછી પણ માણસ ક્યારેક રસ્તે ભૂલી જાય છે. તે પછી ભૂલેલાની તે વાત જ શી કરવાની? રાતને ભૂલ્ય મુસાફર દિવસે માર્ગ પર આવી જાય છે, પણ દિવસના જે ભૂલે તેને તે ગેથી જ ખાવાના છે. તેમ અજ્ઞાન દશામાં રહીને કેઈ મનુષ્ય પાપ આચરતે હોય તે કયારેક તેને સદ્દગુરૂને બેગ મળી આવતાં જરૂર તે ધર્મને રસ્તે ચડી જવાને છે, પણ જાણું–બુઝીને બેધડકપણે પાપ આચરતે હોય તે તે જીવ એકદમ ક્યાંથી ઠેકાણે પડવાને છે ? જીવનમાં પાપ ભીરતા આવે એ પણ એક મેટી યોગ્યતા છે. પાપ આચરતાં મનમાં ખટકે રહે એ પણ ઘણી મોટી વાત છે, જીવ પાપને પાપરૂપે સમજતો થાય. પુન્યને પુન્યરૂપે સમજતે થાય, આવને આશ્રવરૂપે સમજતો થાય. સંવરને સંવરરૂપે સમજતો થાય, એ પણ સમ્યગદ્રષ્ટિપણું છે. સમ્યગાાન આવ્યું હશે તો તેના ફળસ્વરૂપે ચારિત્ર જરૂર આવવાનું છે. નયસારની તત્વ રમણતા. નયસારે રસ્તો બતાવ્યા બાદ મુનિવરે આગળ વિહાર કરી જાય છે, તે પછી નયસાર જગલમાંથી કાષ્ઠ લઈને ફરી પાછા પોતાના ગામ તરફ વળે છે. પોતાના ઉપરી રાજાના હુકમથી કાષ્ટ લેવા અટવીમાં ગયા હતા તે કાષ્ઠ રાજાને મોકલાવી આપે છે. પોતે પોતાના ગામમાં આવી જાય છે. ત્યારબાદ નયસાર ધર્મતત્ત્વને ઉંડાણથી અભ્યાસ કરે છે,
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy