SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલો પલે યાત્રી [ ૧૮૮ દ્રવ્ય માર્ગ બતાવનારને ભાવમાર્ગની પ્રાપ્તિ. | મુનિ ભગવતે નિર્દોષ આહાર-પાણી વહેરીને ત્યાંથી ડેક દૂર જઈને એક વૃક્ષની નીચે બેસીને આહાર-પાણી વાપરી લે છે. નયસાર પણ પિતાના બધા સેવકેની સાથે ભેજન કર્યા બાદ મહાત્માઓની સમીપે પહોંચી જાય છે. તેમને વિનંતી પૂર્વક કહે છે કે, આપ રસ્તે ભુલી ગયા છો. પધારે, આપને હવે હું રસ્તો બતાવી દઉં અને જે નગરમાં પહોંચવાનું છે તે નગરને રસ્તે આપને ચડાવી દઉં. મુનિ ભગવંતે ત્યાંથી વિહાર આગળ લંબાવે છે, અને નયસાર તેમને રસ્તે ચડાવી દે છે. મુનિ ભગવતે નગરને રસ્તે ચડ્યા બાદ એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સમજાવે છે અને કહે છે. નયસાર ! તે અમને જે રસ્તે ચડાવી દીધા એ દ્રવ્યમાર્ગ છે. મુનિ ભગવંતે મનમાં વિચારે છે કે, જરૂર આ કોઈ હળુકર્મ આત્મા છે અને ભાવિમાં કોઈ મહાન આત્મા થશે. આણે આપણને રસ્તે બતાવીને અટવીપાર કરાવી દીધી. હવે આપણે એને એ રસ્તે બતાવી દઈએ કે, એ જીવ ભવ અટવી પાર ઉતરી જાય એમ ચિંતવી એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સમજાવે છે દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ કરાવે છે, અને તેને વિધિપૂર્વક નવકાર મહામંત્ર આપે છે. નયસાર એ મહાત્માઓના સમાગમથી ત્યાંને ત્યાં સમ્યકત્વને પામી જાય છે અને ધન્ય ધન્ય બની જાય છે. નિતિ બ્રિાહઈ કાર્યનુdgી. આત્મામાં અનંતા
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy