SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ લાખેણું જાય [ ૧૬૨ ઘેર આવે છે. તેમાં જે ખૂબ કમાણી કરીને આવેલું છે તેને શેઠે આખાએ ઘરને સ્વામિ બનાવી દીધું. પોતાને બીજે સુપુત્ર છે, જે મૂળ મૂડી ઉભી રાખીને આવે છે તેને વ્યાપારધંધા અંગેનું ઘરનું બધું કામકાજ સેંપી દે છે. અને ત્રીજાને ઘરમાંથી કાઢી મૂકે છે. આજ દ્રષ્ટાંત ધર્મમાં ઘટાવવામાં આવે છે. શેઠનાં ત્રણ પુત્રની જેમ સંસારમાં પણ ત્રણ પ્રકારનાં મનુષ્ય હેય છે. કેટલાક મનુષ્ય મનુષ્યભવમાં આવીને શુભ કરણી કરવા વડે ભવાંતરમાં દેવ ગતિને પામે છે. તેવા મનુષ્યએ વ્રતપચ્ચકખાણ, જીવદયા, સુપાત્રદાન અને સરાગ-સંયમાદિનાં પાલન વડે પિતાની પુન્યરૂપી મૂળ મૂડીમાં ઘણું વધારે કર્યો કહેવાય અને પિતાને પરલેક સુધાર્યો કહેવાય. બીજા પ્રકારના મનુષ્ય સરલતા, નમ્રતા, દાનરૂપી અને કષાને પાતળાં પાડવા વડે કરીને આ ભવમાં મનુષ્યભવનું આયુષ્ય બાંધીને, ભવાંતરમાં ફરી પાછા મનુષ્ય ભવને પ્રાપ્ત કરે છે. તેવા મનુષ્યોએ મૂડીમાં વધારો ન કર્યો પણ પિતાની મૂળ મૂડી ટકાવી રાખી કહેવાય ! મનુષ્યએ એવા ઘેર પાપ તે કદાપિ નહીં આચરવાં જોઈએ કે, મૂળ મૂડીમાંથી પણ હાથ ધઈ નાખવાનો વખત આવે. સ્વભાવથીજ અલ્પ કષાયવાળે, સરલ પરિણમી, જેનામાં કૂડ-કપટ ન હોય, વાણી, વર્તન ને વિચારમાં ભિન્નતા નહીં રાખનારે, આરંભને પરિગ્રહની અપેક્ષાએ અલગારંભ અને અલ્પ પરિગ્રહવાળે જીવ ભવાંતરમાં જરૂર મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. માનવી ઉગ્ર તપ ન કરી શકે, ઘર છેડીને કઈ તથા પ્રકારના કર્મનાં દયે દીક્ષા ન લઈ શકે તે છેવટે આટલી
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy